નિષ્ણાંતો 60 વર્ષથી વધુ ઉંમરના 25 હજાર લોકોને પીવાની આદત અને ડિમેંશિયા પર રિસર્ચ કર્યું છે. તારણમાં સામે આવ્યું છે કે જો લોકો નિશ્ચિત માત્રામાં બિયર પીવે છે તેમનામાં ડિમેંશિયાનો ખતરો ઓછો થઈ શકે છે.
25 હજાર લોકો પર થયું રિસર્ચ
નિશ્ચિત માત્રામાં બિયર પીવી સ્વાસ્થ્ય માટે સારી
ડિમેંશિયાનો ખતરો થઈ શકે છે ઓછો
'દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે' આ ચેતાવણી દરેક જગ્યા પર હોય છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો આલ્કોહોલને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો સ્વાસ્થ્યને અમુક ફાયદા પણ થઈ શકે છે. દારૂના ઘણા પ્રકાર હોય છે. જેવા કે હાર્ડડ્રિંક, બીયર, જીન, વોડકા વગેરે.
હાલમાં થયેલા એક વૈજ્ઞાનિક રિસર્ચમાં બીયર પીતા લોકો માટે ખુશખબર આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ રાત્રે બીયર પીવાથી ડિમેન્શિયાનો ખતરો ઓછો થઈ શકે છે. તેમણે રોતાના રિસર્ચમાં આ વાતનો ખુલાસો કર્યો છે. જોકે તેનો મતલબ એ નથી કે તમે ખૂબ જ દારૂનું સેવન કરવાનું શરૂ કરી દો. કારણ તે સંશોધનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ખૂબ ઓછી માત્રામાં બીયર પીવા પર જ તેના કંઈક ફાયદા છે.
શું મળ્યું રિસર્ચમાં?
ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ 60 વર્ષથી વધુ ઉંમરના 25 હજાર લોકોના પીવાની આગતોને જોઈ અને તેના પર રિસર્ચ કર્યું. વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં જોયું કે જે લોકો એક દિવસમાં 946 મિલી બિયર પીવે છે. તેમનામાં મેમરી લોસની તુલના એક તૃતિયાંશ ઓછી હતી.
નિષ્ણાંતો અનુસાર ના પીતા લોકોને સૌથી વધારે ખતરાનો સામનો કરવો પડ્યો કારણ કે ન પીતા લોકોની તુલનામાં ડિમેન્શિયાનો ખતરો પાંચ ગણો વધારે હતો. રિસર્ચર્સે કહ્યું કે જે લોકો દારૂ પીવે છે. તે લોકોમાં ડિમેન્શિયાથી બચવા માટે લક્ષણ ન હતા. જોકે આ રિસર્ચ મીડિયમ પીતા લોકો પર જ સકારાત્મક રિઝલ્ટ આપે છે પરંતુ જે લોકો વધુ પીવે છે તેમના સ્વાસ્થ્યને ખતરો જણાવવામાં આવ્યો છે.
30 વર્ષમાં ત્રણ ગણી થઈ ડિમેંશિયાની બીમારી
ડૉ. લુઈસ મેવટન અને તેમના સહયોગિઓ અનુસાર, "ડિમેંશિયાનું જોખમ 30 વર્ષમાં ત્રણ ઘણુ વધી ગયું છે. પહેલા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જો જેખમ વાળા કારણોને ખતમ કરી દેવામાં આવે તો દુનિયાભરમાં 10માંથી ચાર ડિમેંશિયાના મામલાને રોકી શકાય છે. જાડાપણુ પણ ડિમેંશિયાના સૌથી મોટા જોખમી કારણોમાંથી એક છે."
ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે મીડિયમ માત્રામાં આલ્કોહોલના સેવનથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. જોકે તેમણે આ વિશે પણ જણાવ્યું. રિસર્ચમાં જે ડેટા પ્રયોગ થયો હતો. તે રિસર્ચમાં શામેલ થયેલા લોકોએ જ આપ્યો હતો. જો હકીકતે લોકોએ યોગ્ય જાણકારી આપી છે તો આ રિસર્ચ સાચુ હોઈ શકે છે. અમુક રિસર્ચોમાં એ પણ જોવા મળે છે કે વાઈન ડિમેંશિયાથી બચાવી શકે છે.
વધારે પ્રમાણમાં દારૂ પીવાથી હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, લિવર ડિસીઝ અને અમુક પ્રકારના કેન્સરની સાથે ડિમેંશિયાનો ખતરો પણ વધી જાય છે. અલ્ઝાઈમર રિસર્ચ યુકેના રિસર્ચ હેડ ડૉ. સારા ઈમારિસિયાએ કહ્યું, "રિઝલ્ટથી જાણકારી મળી કે જે લોકોએ ક્યારેય દારૂ નથી પીધુ તેમનામાં ડિમેંશિયા વિકસિત થવાની સંભાવના એ લોકોની તુલનામાં વધારે હતી જે લોકો દારૂ પીતા હતા. "