ચીનના કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ સૌથી પહેલા ભારતીય ઉપમહાદ્વીપમાં જ ફેલાયો. ધ સનની રિપોર્ટ મુજબ, શાંઘાઈ ઈનસ્ટીટ્યૂટ ફોર બાયોલોજિકલ સાયન્સના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ પેપરમાં કહ્યુ કે ડિસેમ્બર 2019માં વુહાનમાં કોરોનાના મામલા સામે આવે આવતા પહેલા આ વાયરસ ભારતીય ઉપમહાદ્વીપમાં હતો. જો કે વાયરસ ફેલવાની આ થિયરી વિવાદીત છે. ચીની વૈજ્ઞાનિકોની આ થિયરીનો રિવ્યૂ હજું સુધી અન્ય વૈજ્ઞાનિકોએ નથી કર્યો.
SSRN.Com પર ચીની વૈજ્ઞાનિકોનું રિસર્ચ પેપર પ્રકાશિત થયું
ઠાકુરે કહ્યું કે આ રિસર્ચના પરિણામો ખોટા છે
ભારતમાં આ રીતે વાયરસ માણસોમાં ફેલાયો હશે.
SSRN.Com પર ચીની વૈજ્ઞાનિકોનું રિસર્ચ પેપર પ્રકાશિત થયું
હકિકતમાં ચીન પોતાના શહેરમાંથી ફેલાયેલા કોરોનાના આરોપોને બીજાના માથે નાંખી રહ્યુ છે. આ પહેલા ચીનના કેટલાક અધિકારીઓ એવું કહી ચૂક્યા છે કે કોરોના અમેરિકાથી વુહાન આવ્યો. ચીન પર આરોપો લાગેલા છે કે તેણે કોરોનાની મહામારીને છુપાવવાનો પ્રયાસ કર્યો છે. શાંઘાઈ ઈન્સ્ટીટ્યૂટ ફોર બાયોલોજિકલ સાયન્સના વૈજ્ઞાનિકોએ અજીબોગરીબ દાવો કરતા કહ્યું કે કોરોના કાં તો ભારત અથવા પછી બાંગ્લાદેશમાંથી ફેલાયો હશે. ધ લાન્સેટ મેડિકલ જર્નલના પ્રી પ્રિન્ટ પ્લેટફોર્મ SSRN.Com પર ચીની વૈજ્ઞાનિકોનું રિસર્ચ પેપર પ્રકાશિત થયું છે.
ભારતમાં આ રીતે વાયરસ માણસોમાં ફેલાયો હશે
ચીની વૈજ્ઞાનિકોએ 17 દેશોમાં કોરોના વાયરસની સ્ટ્રેન પર રિસર્ચ કરી આ પેપર પ્રકાશિત કર્યુ છે. રિસર્ચનું નેતૃત્વ ડૉ. શેન લિબિંગે કર્યુ છે. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતની યુવા આબાદી, બહું જ ખરાબ વાતાવરણ અને સુખાના કારણે આવી સ્થિતિ તૈયાર થઈ હશે જેનાથી વાયરસ માણસોમાં ફેલાયો હશે.
ઠાકુરે કહ્યું કે આ રિસર્ચના પરિણામો ખોટા છે.
રિસર્ચમાં ચીની વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એવા સંકેતો મળ્યા છે કે વુહાનમાં વાયરસના મામલા સામે આવ્યાના 3થી 4 મહિના પહેલા આ ભારતીય ઉપમહાદ્વીપમાં ફેલાયો. ત્યારે ભારત સરકાર સાથે કામ કરી રહેલા વૈજ્ઞાનિક મુકેશ ઠાકુરે રિસર્ચ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટની રિપોર્ટ મુજબ ઠાકુરે કહ્યું કે આ રિસર્ચના પરિણામો ખોટા છે.