વિશ્વભરમાં કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સિન શોધવામાં પડ્યા છે. આ સમયે વૈજ્ઞાનિકોને કોરોના વાયરસના અણુ સંરચના અંગે મહત્વની માહિતી મળી છે. આ અધ્યયન મુજબ એ જાણી શકાયું છે કે આખરે કોરોના વાયરસના અણુ યજમાન કોશિકાઓમાં કેવી રીતે છૂપાય છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ નવી જાણકારીથી વિષાણુ વિરોધી દવા બનાવવામાં મદદ મળશે.
કોરોના સંકટમાં વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા
કોરોનાના અણુની સંરચનાની મળી માહિતી
દવા બનાવવામાં મળશે મદદ
આ અધ્યયનમાં ભારતીય મૂળના વૈજ્ઞાનિકોએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. નેચર કમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત અધ્યયન મુજબ અણુ NSP 10 યજમાન કોશિકાના MRNAની નકલ કરવા માટે વિષાણુવાળા MRNAમાં ફેરફાર કરે છે. આ ફેરફાર થવાથી NSP 10 વિષાણુઓને યજમાન કોશિકાની પ્રતિરક્ષા પ્રતિક્રિયાથી બચાવે છે.
ભારતીય મૂળના વૈજ્ઞાનિક યોગેશ ગુપ્તા મુજબ કોશિકાઓને ભ્રમિત કરનારા આ ફેરફારના કારણે વિષાણુયુક્ત સંદેશવાહક RNA હવે આ કોશિકાને પોતાનો ભાગ સમજે છે. સંશોધકોએ જણાવ્યું કે NSP-16ની થ્રીડી સંરચનાને સમજવામાં નવા કોરોના વાયરસ સાર્સ-સીઓવી-2 અને અન્ય ઉભરી રહેલા કોરોના વાયરસના સંક્રમણ વિરુદ્ધ નવી ઔષધી તૈયાર કરવાનો માર્ગ ખુલી ગયો છે. આ દવા એવી રીતે તૈયાર કરાશે જેથી NSP-16ને ફેરફાર કરતા રોકવા યજમાન કોશિકાનું પ્રતિરોધી તંત્ર બહારના વિષાણુની ઓળખ કરીને તેના પર આક્રમણ કરે.