સુભાષચંદ્ર બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સ કોલકતા (SNBNBS) ના વૈજ્ઞાનિકોએ ખૂબ જ સલામત અને અસરકારક નેનોમેડિસિન વિકસાવવામાં સફળતા મેળવી છે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે કોરોનાની સારવારમાં તે રામબાણ સાબિત થઈ શકે છે.
કોલકતાના SNBNBSના વૈજ્ઞાનિકોને મળી સફળતા
પ્રાણીઓ પર કરવામાં આવેલુ પરિક્ષણ સફળ નિવડ્યું છે
કોરોના સામે તેનો ઉપયોગ રામબાણ સાબિત થઈ શકે
નેનોમેડિસિન સ્થિતિ અનુસાર આપણા શરીરમાં રિએક્ટિવ ઓક્સિજન સ્પેસીસ (આરઓએસ) ઘટાડવામાં અને વધારવા માટે સક્ષમ છે. શરીરની અંદર ઓક્સિડેટીવ તણાવ બદલવાના ગુણધર્મોને કારણે, તે અનેક પ્રકારના રોગોની સારવારમાં મદદગાર સાબિત થઈ શકે છે.
પ્રાણીઓ પર આ દવાનો સફળ પ્રયોગ કર્યા પછી, હવે માનવો પર તેની તપાસ કરવાની શક્યતાઓ વધી ગઈ છે. આને કારણે કોરોના ચેપને રોકવામાં તેના ઉપયોગની શક્યતાઓ વધી છે.
લીંબુના અર્ક અને મેંગનિઝ સોલ્ટના નૈનોપાર્ટિકલ્સનો ઉપયોગ આ દવા બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ હેઠળ નેનોટેક્નોલોજીને અનેક રીતે પ્રયોગ કરતા મેગનીઝ અને આઈટ્રેટનો મહત્વપૂર્ણ મિશ્રણની મદદથી નૈનોમેડિસિનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રાણીઓના પરીક્ષણ દરમિયાન નેનોમેડિસિન દ્વારા ઓક્સિડેટીવ સ્ટ્રેસમાં વધારો પ્રશંસાનીય રહ્યો છે. આવી સ્થિતિમાં, તેનો ઉપયોગ નવજાત શિશુમાં કમળા સહિતના ઘણા રોગોની સારવારમાં સરળતાથી થઈ શકે છે.
ઉંદર પર હાથ ધરવામાં આવેલી પરીક્ષણમાં નેનોમેડિસીન સલામત અને ઝડપી હોવાનું જાણવા મળ્યું હતું. તેના ઉપયોગના માત્ર અઢી કલાકમાં કમળાનું સ્તર નીચે આવ્યું. આનથી આની રિએક્ટિવ ઓક્સિજ સ્પેસીઝ (આરઓએસ) ને નિયંત્રિત કરવાની આ જ ક્ષમતાને લીધે તે કોરોના સહિત વાયરસના ચેપને નિયંત્રિત કરવામાં આ નેનોમેડિસિનના ઉપયોગ કારગત સાબિત થઈ શકે છે.