એવી સંભાવના છે તમને કે તમારા પરિવારમાં અથવા મિત્રોમાં કોઈ એવું છે કે જેને હજી સુધી કોરોનાવાયરસનો ચેપ લાગ્યો નથી. તો જાણો તેમના 5 કારણો કે જેણે તમને કોરોનાથી બચાવ્યા.
ઘણા લોકોને આજ સુધી કોરોના ચેપ નથી લાગ્યો
લોકોની પોતાની રોગપ્રતિકારક શક્તિએ પણ કોરોના રોક્યો
ઘણા લોકો આજ સુધી કોઈ સંજોગો વસાત સ્પ્રેડરથી દુર રહ્યા
એવી સંભાવના છે તમને કે તમારા પરિવારમાં અથવા મિત્રોમાં કોઈ એવું છે કે જેને હજી સુધી કોરોનાવાયરસનો ચેપ લાગ્યો નથી. તમને લાગી રહ્યું હોય છે કે કા તો તેમની પાસે સુપર પાવર છે કે તેઓ જાણતા નથી કે કોવિડ પરીક્ષણ કેવી રીતે કરાવવું અથવા તો તેણે આજ સુધી પરીક્ષણ કરવાની જરૂર જ ન પડી હોય.
પરંતુ શક્યતા એ છે કે કાં તો તેઓ ભાગ્યશાળી છે અથવા તો માત્ર વિજ્ઞાનને કારણે આવું હજી સુધી થયું નથી. તો અમે તમને એવા પાંચ કારણો જણાવી રહ્યા છીએ જેના કારણે અત્યાર સુધી આવા લોકોને કોવિડ નથી થયો.
1. સંજોગ
લોકડાઉન પહેલા અથવા અત્યાર સુધી કદાચ તેઓએ તે સુપર સ્પ્રેડર પાર્ટીઓમાં ભાગ લીધો ન હોઈ શકે. સંભાવના છે કે કદાચ આ લોકો હંમેશા ટ્રેનના એ ડબ્બામાં કે બસમાં ચઢ્યા હોય જેમાં જેમાં કોઈ કોવિડ મુસાફરો ન હોય. શક્ય છે કે આવા લોકો તે મીટિંગમાં સામેલ હતા, પરંતુ કોવિડથી સંક્રમિત વ્યક્તિના આગમન પહેલા ત્યાંથી બહાર આવી ગયા હતા. એવું લાગતું તો નથી, પરંતુ એ વાત સાચી પણ હોય શકે છે કે કોરોના સંક્રમણ દરમિયાન કેટલાક લોકો મહિના આવા જ ભાગ્યશાળી રહ્યા હોય શકે.
2: વસ્તી
વાયરસ એક વ્યક્તિને બીજી વ્યક્તિને ચેપ લગાડે છે, તેથી વસ્તી તેની પાછળનું સંભવિત કારણ હોઈ શકે છે. વાયરસને ફેલાવા માટે એક વાહકની જરૂર હોય છે, પરંતુ જો વાયરસને તે વાહક અથવા યજમાનના શરીરમાંથી બહાર કરવામાં આવે છે, તો તે નાશ પામે છે. કોવિડ -19 ની લહેર ઘણા લોકોને ચેપ લાગ્યો હતો. તેણે તમારા સુધી પહોંચતા પહેલા જ ઘણા લોકોને ખરાબ રીતે બીમાર કર્યા છે, પરંતુ સારવાર દરમિયાન, તે તેના શરીરમાં ખત્મ થઈ ગયો. આ પણ માત્ર સંયોગ છે, પરંતુ તેની પાછળ વિજ્ઞાન પણ છે.
3: રસી
રસી તમારા શરીરમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે. જેવા વાયરસ તમારા શરીરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે, તમારું શરીર તેના પર હુમલો કરે છે. એન્ટીબોડીઝના કારણે તમારા શરીરમાં રોગને આગળ વધવું મુશ્કેલ બની જાય છે. જો કે, સમય જતાં ચેપને રોકવા માટે રસીની ક્ષમતામાં ઘટાડો થાય છે. આનો અર્થ એ છે કે એક પણ રસી સમગ્ર રોગચાળા દરમિયાન તમારું સંપૂર્ણ રક્ષણ કરી શકશે નહીં. વળી, વેક્સીનથી પેદા થતી એન્ટીબોડી કોરોનાના નવા વેરિએન્ટ પર એટલી અસરકારક નથી. એટલે કે નવા વેરિયન્ટ્સ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિથી બચવામાં વધુ સક્ષમ છે. પરંતુ કદાચ કેટલાક લોકોમાં આ રસી એવી રીતે અસરકારક છે કે તેમને એક વાર પણ ચેપ લાગ્યો નથી.
4. જન્મજાત રોગપ્રતિકારક શક્તિ
કેટલીકવાર તમારું શરીર વાયરસ મોટી સંખ્યામાં વધતા પહેલા તેને મારી શકે છે. તેથી રસી વિનાના લોકો કોવિડના સંપર્કમાં આવે ત્યારે પણ હંમેશા ચેપ લાગતો નથી. તે જન્મજાત રોગપ્રતિકારક શક્તિને કારણે થાય છે અને તે આપણા શરીરમાં હાજર પ્રથમ-પંક્તિની રોગપ્રતિકારક શક્તિ છે. તેની શક્તિ દરેક વ્યક્તિમાં જુદી જુદી હોય છે અને શા માટે તે આપણે જાણતા નથી. વિજ્ઞાન પાસે આ વિષય વિશે વધુ માહિતી નથી.
5. ચેપ લાગ્યો પણ તમને ખબર નથી
તમને કહેવામાં આવ્યું હશે પરંતુ તમને ખબર નહીં હોય અમે જે પાંચમું અને અંતિમ કારણ આપી રહ્યા છીએ તે એ છે કે તમને કોવિડ થયો હશે, પરંતુ તમને તેની જાણ નથી. તમને કોવિડ હોઈ શકે છે, પરંતુ તમારામાં કોઈ લક્ષણો નથી અને તમે કોઈ પરીક્ષણ કરાવ્યું નથી. તે મોટે ભાગે શક્ય છે. આવી સ્થિતિમાં, તમને ક્યારેય ખબર નહીં પડે કે તમને ક્યારેય કોવિડ થયો હતો. હવે જ્યારે તમે તમારો ટેસ્ટ કરાવ્યો નથી, ત્યારે તમે પોતે સ્પ્રેડર બની જાઓ છો. જો તમને ખરેખર અત્યાર સુધી કોવિડ ન થયો હોય, તો તમે ખૂબ નસીબદાર છો.
જો કે, નવા વેરિએન્ટ્સ તમારા શરીરના જૂના ચેપ અથવા રસીને કારણે થતા એન્ટિબોડીઝને પણ હરાવી શકે છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકો કહે છે કે કોવિડ આખરે આપણા લગભગ બધાને ચેપ લગાડશે, પછી ભલે રોગ ગંભીર હોય કે ન હોય. મહત્વની વાત એ છે કે આ વાયરસ હવે આપણામાંથી મોટાભાગના લોકોને ખૂબ બીમાર નથી કરી રહ્યો. ભારતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઇટ પર કોરોના ચેપને લગતી દરેક માહિતી આપવામાં આવી છે.