મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં છેલ્લા સાત મહિના બાદ 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સોમવારથી શાળાઓ ખોલવામાં આવી છે. જો કે, ડ્યૂટી શરૂ થયાં પહેલા જ 62 શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
નાસિકમાં સ્કૂલ ખુલા જ કોરોના વિસ્ફોટ
62 શિક્ષકો કોરોના પોઝિટિવ
જાન્યુઆરીથી સ્કૂલ ખોલવા કરી હતી જાહેરાત
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાહેરાત આપવામાં આવી છે કે, ગ્રામીણ અને શહેર વિસ્તારમાં 1,324 શાળાઓમાંથી લગભગ 846 શાળાઓમાં ધોરણ 9થી 12ના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.
62 શિક્ષકો પોઝિટિવ આવતા ચકચાર મચી
જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે 1,21,579 વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા. શાળા ખોલતા પહેલા 7,063 આચાર્યો અને શિક્ષકો અને 2,500 બિન-શૈક્ષણિક કર્મચારીઓની આરટી-પીસીઆર સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 62 આચાર્ય અને શિક્ષકો અને 10 બિન-શિક્ષક સ્ટાફને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો.
બિહારમાં શાળાઓ, કોલેજો પણ ખોલવામાં આવી
બિહારમાં સોમવારથી શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી છે. કોવિડ -19 રોગચાળા બાદ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ લગભગ નવ મહિના પહેલા બંધ કરવામાં આવી હતી. એવું લાગે છે કે કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં ઘટાડો અને રિકવરી રેટ 97.61 ટકા હોવાને કારણે, રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ભૌતિક પુન:સ્થાપન અંગે વિશ્વાસ છે. શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ સંજય કુમારે રવિવારે જણાવ્યું હતું કે, જોકે કુલ વિદ્યાર્થીઓમાંથી અડધા વિદ્યાર્થીઓ સાથે વર્ગો લેવામાં આવશે અને કોરોના વાયરસની અન્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવું પડશે.
આ રાજ્યમાં અડધો દિવસ જ ચાલે છે શાળા
આ સિવાય પોંડિચેરીમાં પણ શાળાઓ ખોલી દેવામાં આવી છે અને સરકારની ગાઈડલાઇન અનુસાર માત્ર અડધો દિવસ સુધી જ શાળાઓમાં શિક્ષણકાર્ય કરવામાં આવશે. ઝારખંડમાં દસમા અને બારમાં ધોરણ માટે શાળાઓ ખોલાઈ છે કારણ કે થોડા મહિના બાદ બોર્ડની પરીક્ષા કરવામાં આવશે.
અરુણાચલ પ્રદેશમાં સરકારે ધોરણ 8થી 11 સુધીના બાળકો માટે શાળાઓ ખોલી છે. ધો. 10 અને 12 માટે નવેમ્બર મહિનામાં જ શાળાઓ ખૂલી ગઈ હતી. મહિનાઓ બાદ હવે શાળાઓ નિયમિત રૂપે કામ કરી રહી છે.
કૉલેજ પણ થઈ શરૂ
આ સિવાય અસમમાં પણ પ્રાથમિક ધોરણથી યુનિવર્સિટી સુધી શૈક્ષણિક સંસ્થાઓ ખોલી દેવામાં આવી છે. કર્ણાટકમાં પહેલી જાન્યુઆરીથી ધો. 6થી 12 માટે શાળાઓ ખોલી દેવામાં આવી છે અને એક સમયે કોરોના વાયરસના હોટસ્પોટ રહેલા કેરળમાં પણ પહેલી જનયુઆરીથી આંશિક રૂપે શાળાઓ ખોલી દેવાઈ છે જેમાં સીમિત સમય માટે ધો. 10 અને 12ના વિધ્યાર્થીઓને ભણાવવામાં આવશે.