કોરોનાકાળમાં કેટલાક મહિનાઓ બાદ ગુજરાતમાં 23મી નવેમ્બરથી શાળા-કોલેજ ખુલવા જઇ રહી છે. દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. 23 નવેમ્બરથી ધોરણ 9થી 12ના વર્ગો ભારત સરકારની SOP ગાઈડલાઈન સાથે શરૂ થશે. રાજ્યમાં ઓડ-ઈવનના ધોરણે શૈક્ષણિક વર્ગો શરૂ થશે.
રાજ્ય સરકારે બનાવેલ SOP પ્રમાણે શરૂ થશે શાળા-કોલેજો
21 દિવસના વેકેશન બાદ આવતીકાલે સ્કૂલમાં શિક્ષકો થશે હાજર
23 નવેમ્બરથી ઓડ-ઈવનના ધોરણે શૈક્ષણિક વર્ગો શરૂ થશે
કોરોનાકાળમાં શાળા-કોલેજ શરૂ કરવા સરકાર અડગ છે. રાજ્યમા શાળા ખોલવા અંગે શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે, શાળાના તમામ સ્ટાફને કૉવિડના નિયમોનું પાલન કરવુ પડશે. વિધાર્થીઓએ માસ્ફ ફરજિયાત પહેરવુ પડશે. વાલીઓની લેખિતમાં મંજુરી લેવી પડશે. ક્લાસ રૂમમાં બેંચ વચ્ચે તફાવાત રાખવો પડશે. વાલીઓની લેખિત પરમિશન સાથે વિદ્યાર્થીઓને શાળા-કોલેજોમાં પ્રવેશ અપાશે.
ઓડ-ઈવનના ધોરણે શૈક્ષણિક વર્ગો શરૂ થશે
સોમ-બુધ અને શુક્ર ધો 10 અને 12 વિધાર્થીઓ માટે રહેશે. મંગળ-ગૂરૂ અને શનિ ધો 9 અને 11ના વિધાર્થીઓ માટે રહેશે. 23 નવેમ્બરથી વિધાર્થીઓ માટે શાળા ખુલશે અને આવતીકાલથી શાળા સ્ટાફનુ વેકેશન પૂર્ણ થશે.
કન્ટેઇનમેન્ટ ઝોનમાં શાળાઓ નહીં ખુલે
જે વિદ્યાર્થી ક્લાસમાં ના જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસ ફરજિયાત ચલાવવાના રહેશે અને વિદ્યાર્થીએ ઓનલાઇન ક્લાસમાં ફરજિયાત હાજરી આપવાની રહેશે. કોઇપણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિદ્યાર્થી કે કર્મચારી સ્કૂલમાં ના પ્રવેશે તેની જવાબદારી સત્તા અધિકારીએ લેવાની રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં શાળાઓ નહીં ખુલે. આ વિસ્તારમાંથી વિદ્યાર્થી કે કર્મચારી શાળાએ આવી નહીં શકે. વિદ્યાર્થી અને તમામ સ્ટાફે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
21 દિવસના વેકેશન બાદ આવતીકાલે સ્કૂલમાં શિક્ષકો થશે હાજર
મહત્વનું છે કે, રાજ્યની સ્કુલોમાં આજે 21 દિવસનું વેકેશન હતું તે પૂર્ણ થયું છે. શિક્ષકો માટે 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી વેકેશન હતુ. પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં હાજર થવાનું રહેશે.
બાળકો સ્કૂલમાં સામાજિક અંતર નહીં રાખી શકેઃ AMA
રાજ્ય સરકાર દ્વારા 23 નવેમ્બરથી સ્કૂલ, કોલેજ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ મામલે AMAએ કહ્યું હતું કે, બાળકો સ્કૂલમાં સામાજિક અંતર નહીં રાખી શકે. હાલની સ્થિતિને ધ્યાને રાખીને બાળકોએ સ્કૂલમાં ન જવું જોઈએ. જો બાળક સ્કૂલમાંથી ઘરે જઈને માતાને ભેટશે એટલે સંક્રમણ ફેલાવવાની વધુ શક્યતા છે. સાથે જ તેમણે કહ્યું કે, બાળકોની સરકારની ગાઈડલાઈનનું પાલન કરે કે નહીં તે પણ એક પ્રશ્ન છે.
દેશમાં શાળા ખોલવામાં ગુજરાત પ્રથમ રાજ્ય નથીઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
શાળા-કોલેજ શરૂ કરવાના વિરોધને લઈને થોડા દિવસ અગાઉ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, દેશમાં શાળા ખોલવામાં ગુજરાત પ્રથમ રાજ્ય નથી, અન્ય રાજ્યોમાં પણ શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાયો છે. 7 રાજ્યોમાં સપ્ટેમ્બર મહિનામાં જ શાળાઓ ખોલી હતી. 2 રાજ્યોમાં ઓક્ટોબરથી શાળાઓ ચાલે છે. રાજ્ય સરકાર બાળકની સલામતી સંદર્ભે કોઇ પણ બાંધછોડ નહીં કરે.