ખાનગી શાળાઓએ ધોરણ 11માં પ્રવેશ આપવાનું શરૂ કરતા વિવાદમાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે વાલીઓ પ્રવેશ આપનાર શાળાઓ સામે ફરિયાદ કરે શાળાઓ સામે થશે કાર્યવાહી
સરકારની ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી પ્રવેશ પ્રક્રિયા નહીં
માર્કશીટ અને LC વગર શાળાઓ પ્રવેશ ન આપી શકે: DEO
પ્રવેશ પ્રક્રિયા કરનારી શાળાઓની વાલીઓ ફરિયાદ કરે : DEO
ખાનગી શાળાઓએ ધોરણ 11માં પ્રવેશ આપવાનું શરૂ કરતા વિવાદમાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે વાલીઓ પ્રવેશ આપનાર શાળાઓ સામે ફરિયાદ કરે શાળાઓ સામે થશે કાર્યવાહી
ધો-11માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરનાર શાળાઓ સામે થશે કાર્યવાહી
રાજકોટમાં હવે અમદાવાદ પણ ધોરણ 11માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાતા શાળાઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. કોરોના કાળમાં ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું જે બાદ હવે વિદ્યાર્થીઓ સીધા જ ધોરણ 11માં પ્રવેશ લઈ શકે છે જેને લઈને કેટલીક શાળાઓને પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દીધી છે જેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીઓએ તાકીદ કરી છે કે સરકારની નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા ન કરવામાં આવે.
માર્કશીટ અને LC વગર શાળાઓ પ્રવેશ ન આપી શકે: DEO
મહત્વનું છે કે માસ પ્રમોશન બાદ શાળાઓએ LC અને માર્કશીટ વિના જ પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દીધી છે થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાતા જિલ્લા શિક્ષણ અધિકારીઓ સમગ્ર મામલે નિવેદન આપતા ખુલાસો કર્યો હતો કે શાળાઓ પ્રવેશ ફોર્મનું વિતરણ કરી શકે છે પરતું પ્રવેશ નક્કી કરી શકતી નથી, હજુ સુધી સરકારે ધોરણ 11ના પ્રવેશ અંગે નિર્ણય લીધો નથી, માર્કશીટ અંગે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પ્રવેશ પ્રક્રિયા નિર્ણય લેવો નિર્થક છે.
પ્રવેશ પ્રક્રિયા કરનારી શાળાઓની વાલીઓ ફરિયાદ કરે : DEO
જે બાદ અમદાવાદમાં પણ આજે ધોરણ 11માં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે પ્રવેશ પ્રક્રિયા કરનારી શાળાઓની વાલીઓ ફરિયાદ કરે ફરિયાદ મળશે તો શાળા સામે પગલાં લેવાશે. માર્કશીટ અને LC વગર શાળાઓ પ્રવેશ ન આપી શકે. જોકે અમદાવાદની 3 શાળાઓએ પ્રવેશ આપ્યાનું ધ્યાને પડતા સંચાલકોને સામે કાર્યવાહીના માંગ ઉઠતા પ્રવેશ કાર્યવાહી બંધ કરી દીધી છે.