આજે દેશમાં પાંચ રાજ્યોમાં શાળાઓ શરૂ થઈ રહી છે તો બીજી તરફ આજે કેસ સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. આ સ્થિતિને કારણે વાલીઓની ચિંતામાં વધારો થયો હતો.
આજથી પાંચ રાજ્યોમાં ફરી શાળાઓ શરૂ
40 હજારથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા
આવતી કાલે ગુજરાતમાં પણ સ્કૂલે ખુલશે
દેશમાં આજથી પાંચ રાજ્યોમાં ફરી શાળાઓ શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ ભયની વાત એ છે કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં ગઇકાલે 40 હજારથી વધારે કોરોનાનાં કેસ સામે આવ્યા હતા. જો કે હજુ એક જ દિવસ અગાઉ 30,941 કોરોનાનાં કેસ સામે આવ્યા હતા.
કોરોના મહામારીનાં કારણે છેલ્લા ઘણા સમયથી સ્કૂલો બંધ રહી હતી અને કોવિડનાં કેસમાં એક દિવસ બાદ અચાનક જ વધારો થયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 40 હજારથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા હતા. જો કે એક જ દિવસ અગાઉ 30,941 કોરોનાનાં કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં આવેલા કેસની સંખ્યા 41,965 કેસ આવ્યા હતા અને 460 મૃત્યુ સંખ્યા નોંધાઈ હતી.
એક્ટિવ કેસની સંખ્યા 3 લાખથી વધારે
આ સાથે નવા કેસની સંખ્યા ઉમેરાતા 3 કરોડ 28 લાખ અને 10 હજાર સંક્રમિતો ની સંખ્યા થઈ ગઈ છે. દેશમાં મૃત્યુ સંખ્યા 4 લાખ 39 હજાર અને 20 થઈ ગઈ છે.
કોરોનાને કારણે સ્કૂલો બંધ કરાઈ હતી
કોરોનાનાં કારણે છેલ્લા ઘણા સમયથી શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ છે. પરંતુ હવે કેસોની સંખ્યા અગાઉની સાપેક્ષમાં ઘટી રહી છે. એક બે રાજ્યોને બાદ કરતાં દેશમાં તમામ રાજ્યોમાં કોરોનાનાં કેસ ઓછી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. હવે શિક્ષણ કરી રાબેતા મુજબ શરૂ થાય તે જરૂરી છે. માટે આજથી દેશના પાંચ મોટા રાજ્યોમાં શાળાઓ શરૂ થવા જઈ રહી છે. ઉત્તરપ્રદેશ, દિલ્લી, મધ્યપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં સ્કૂલ ખુલશે.
સખત ગાઈડલાઇન્સ પણ જાહેર
સરકારોએ સ્કૂલોને પરમીશન તો આપી દીધી છે પરંતુ સાથોસાથ સખત ગાઈડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે અને તેનું પાલન અનિવાર્યપણે કરવા માટે સૂચના પણ અપાઈ છે. સોશ્યલ ડિસ્ટનસિંગ સાથે માસ્ક અને સેનેટાઈઝેશન પર ખાસ ભાર આપવામાં આવ્યો હતો. રાજસ્થાન સરકારની ગાઈડલાઇન્સ મુજબ 60% બાળકો જ સ્કૂલે જઈ શકશે 40% બાળકોને ઓનલાઈન ભણવાનું રહેશે.
આવતી કાલે ગુજરાતમાં પણ સ્કૂલે ખુલશે
દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં સખત પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. એટલે સુધી કે દિલ્હીમાં તો સરકાર ઓડ ઇવન સ્કીમ શરૂ કરવા પર પણ વિચારણા કરી રહી હોવાના સમાચાર આવ્યા હતા. રાજસ્થાનમાં 9 થી 12 ધોરણ માટે વર્ગો ખૂલી રહ્યા છે પરંતુ એક થી આઠ ધોરણના વર્ગો ક્યારથી શરૂ થશે તેની કોઈ જાણકારી સરકારે આપી નથી. આવતી કાલે ગુજરાતમાં પણ ધોરણ છ થી આઠની સ્કૂલો ખૂલી રહી છે.
જો કે વધતાં કેસોની સંખ્યાનાં કારણે વાલીઓની ચિંતામાં વધારો થયો હતો કે તેમના બાળકોને સ્કૂલે મોકલવા યોગ્ય છે કે કેમ?