સ્કૂલરિક્ષા અને વાનના ભાડામાં ત્રણ ગણો વધારો થવાની શક્યતા છે. કોરોનાના કારણે સ્કૂલ બંધ છે. ત્યારે સ્કૂલ બંધ હોવાથી સ્કૂલરિક્ષા અને વાનના પણ પૈડા થંભી ગયા છે. ત્યારે હવે ધીરે ધીરે બધુ શરૂ થઇ રહ્યું છે. ત્યારે ફરી સ્કૂલ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેને લઇ સ્કૂલરિક્ષાને લઇને પણ સરકાર કેટલાક નિયમો બનાવી શકે છે.
સ્કૂલરિક્ષા અને વાનના ભાડામાં તોળાઈ રહેલો ભાવ વધારો
50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે તો ત્રણ ગણા ભાડાનું ભારણ
લોકડાઉનના કારણે સ્કૂલ બંધ હોવાથી સ્કૂલરિક્ષા પણ છે બંધ
મળતી મુજબ સ્કૂલો ચાલુ થાય ત્યારે સ્કૂલરિક્ષા,સ્કૂલવાન કે સ્કૂલબસને કેવી રીતે અને કેટલા વિદ્યાર્થીઓને બેસાડીને ચલાવવી તેની ગાઇડલાઇન સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. ત્યારે હવે જો સ્કૂલવાનમાં સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરાવામાં આવશે તો સ્કૂરરિક્ષામાં 50 ટકા જ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. જેને કારણે સ્કૂલરિક્ષાનું ભાડું ત્રણ ગણું વધી શકે છે. સ્કૂલવાન ચાલકો અને વાલીઓ બંનેની હાલત આગામી સમયમાં કફોડી બનશે કારણ સ્કૂલવર્ધી વાહનોનું ભાડું ગત માર્ચ મહિનાથી વાલીઓ પાસેથી વસુલાયું નથી. જે હવે મળવાની શક્યતા ઓછી છે.
હવે એક વાનમાં સામાન્ય રીતે 12 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. ત્યારે જો સોશિયલ ડિસ્ટન્સનું પાલન થશો તો એક વાનમાં માત્ર છ વિદ્યાર્થી બેસી શકશે. અને એક વિદ્યાર્થીનું ભાડું રૂ 500 થી 1000 હોય છે જે ડબલ અથવા ત્રણ ગણું વાલીઓ પાસેથી વસૂલાય તેવી શક્યતા છે. તેવી જ રીતે 50 ટકા વિદ્યાર્થીઓને બસમાં બેસાડવાના થાય તો બસની સંખ્યા પણ વધારવી પડશે.