ભાવનગરમાં પ્રાથમિક શાળાના શિક્ષકની વધુ એક વખત દાદાગીરી સામે આવી છે. શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા વિવાદ થયો છે. તરસમિયા ગામમાં શિક્ષક અને પટ્ટાવાળાએ મળીને વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. જેને લઇને વિદ્યાર્થીને સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી વિદ્યાર્થીએ પ્રાર્થના સમયે આંખ ખુલ્લી રાખી હતી. આ દરમિયાન શિક્ષકે અને પટ્ટાવાળાએ મળીને ઢોર માર માર્યો હતો. રજૂઆત બાદ વાલીને પણ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
તરસમિયા ગામમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 8માં ધોરણના વિદ્યાર્થીની આંખ પ્રાર્થના સમયે ખુલ્લી રહેતા શિક્ષક અને પટ્ટાવાળાએ માર માર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ મામલે જ્યારે વાલીએ આક્ષેપ કર્યો તો તેના પર પણ શિક્ષકે હાથ ઉપાડ્યો હતો. જેને લઇને વિદ્યાર્થીના પિતાને પણ ઉજા થઇ હતી. વિદ્યાર્થી સાથે તેમને હોસ્પિટલમાં સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી.
કોઇ પણ શિક્ષક કે પટ્ટાવાળાને અધિકાર નથી કે વિદ્યાર્થીને મારી શકે. ત્યારે અનેક સવાલ થાય છે કે, શિક્ષકને મારવાની પરવાનગી કોણે આપી? કેમ શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર? શાળા દ્વારા શિક્ષક સામે કરાશે કાર્યવાહી?