કોરોનાની મહામારી વચ્ચે પણ ગુજરાતમાં સરકાર 23મી નવેમ્બરે શાળાઓ શરૂ કરવા કટીબદ્ધ છે ત્યારે શાળા સંચાલકો અને વાલીઓ તેમજ ડોક્ટરોનું કહેવું છે કે, હાલમાં શાળાઓ શરૂ કરવી એ સારો વિચાર નથી.
ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા સરકાર મહામારીની વચ્ચે પણ મક્કમ
સરકારની સ્પષ્ટ વાત 23 નવેમ્બરથી જ શરૂ થશે શાળાઓ
સરકારે જાહેર કરેલા અભ્યાસક્રમ મુજબ અપાશે શિક્ષણ
કોરોમાં વધતા કેસ વચ્ચે સ્કૂલ નિયત સમયે જ ખુલશે. રાજ્ય સરકારે જાહેર કરેલી SOP આધારે સ્કૂલ શરૂ થશે. ધોરણ 9 થી 12 ના ક્લાસ SOPના આધારે શરૂ કરવામાં આવશે. સરકારે જાહેર કરેલા અભ્યાસક્રમ પ્રમાણે શિક્ષણ અપાશે. 23 નવેમ્બરથી રાજ્યમાં સ્કૂલ-કોલેજો શરૂ થઈ રહી છે.
રાજ્યમાં સ્કૂલ મુદ્દે શાળા સંચાલક મહામંડળનું મોટું નિવેદન
રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે શાળા સંચાલક મંડળનું મોટુ નિવેદન સામે આવ્યું છે. શાળા સંચાલકોનું કહેવું છે કે, શાળાઓ શરુ કરવાના નિર્ણય અંગે પુનઃવિચાર કરવો જોઈએ. 23 નવેમ્બરથી શાળાઓ શરુ ન કરવી જોઈએ. 2 સપ્તાહ બાદ શાળાઓ શરૂ કરવાનો સરકાર નિર્ણય કરે તો સારૂ.
શું કહે છે વાલીઓ
વાલીઓનું સ્પષ્ટ કહેવું છે કે, કોરોનાની મહામારી જોતા શાળાઓ એક મહિના પછી શરૂ કરવામાં આવે. કેમ કે, બાળકોને કોરોના થશે તો તે માટે કોણ જવાબદાર ગણાશે? વાલીઓ દ્વારા તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.
શું કહે છે ડોક્ટરો?
AMAનું કહેવું છે કે, ગુજરાતમાં હાલ કોરોના તહેવારોમાં વકર્યો છે અને બાળકો પાસે સોસિયલ ડિસ્ટન્સિંગથી લઈ તમામ ગાઈડલાઈનનું પાલન કરાવવું અઘરૂં છે એટલે હાલ શાળાઓ શરૂ કરવી હિતાવહ નથી.
શાળા શરૂ કરવા સરકારના શું છે નિયમો?
ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થશે
શાળામાં હાજર રહેવા માટે વાલીઓનું સહમતિ પત્ર ફરજિયાત
શાળામાં હાજર રહેવાનો નિર્ણય વિદ્યાર્થી સ્વૈચ્છિક રીતે લઈ શકશે
સોમ, બુધ અને શુક્રવારે ધોરણ 10-12ના વિદ્યાર્થી રહેશે હાજર
મંગળ, ગુરુ અને શનિવારે ધોરણ 9-11 ના વિદ્યાર્થી હાજરી આપશે
સરકારની SOP પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવી પડશે
વિષય અને અભ્યાસક્રમ અંગે શાળાના આચાર્ય નિર્ણય લેશે
શિક્ષકોએ પણ શાળામાં ફરજિયાત માસ્ક પહેરવું પડશે
શંકાસ્પદ લક્ષણ દેખાય તો વિદ્યાર્થીઓને નહીં મળે પ્રવેશ
કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થી કે સ્ટાફના કર્મીને પ્રવેશ નહીં
પરિવારમાં કોઈને કોરોના થયો હશે તો તેવા વ્યક્તિને પ્રવેશ નહીં
તમામ નિયમોના પાલન કરાવવા જિલ્લા તંત્રને સોંપાઈ છે જવાબદારી