કોરોના વાયરસના કારણે હજુ સુધી ઘણા બધા રાજ્યોમાં શાળાઓ અનલોક થઇ શકી નથી, એવામાં રાજ્ય સરકારો પર હવે દબાણ વધી રહ્યું છે ત્યારે આવતા વર્ષથી અમુક રાજ્યોમાં શાળાઓ ખુલે તેવી શક્યતા છે.
ગુજરાતમાં સરકાર આગામી સમયમાં પરિસ્થિતિને જોતા લેશે નિર્ણય
ક્યારે અનલોક થશે શાળાઓ
કોરોના વાયરસના કહેરની વચ્ચે ધીમે ધીમે રાજ્યોમાં શાળા ખુલે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના દૈનિકમાં આંશિક રાહત પણ મળી છે જેમાં 30 હાજરની આસપાસ દરરોજ કેસ સામે આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર, હરિયાણા અને બિહાર જેવા અમુક રાજ્યોમાં ક્યાંક શાળાઓ ખોલી દેવાઈ છે તો ક્યાંક આવતા મહીને શરુ થવા જઈ રહી છે.
કયા રાજ્યમાં ખુલી રહી છે શાળાઓ
ઉત્તરાખંડ 15 ડિસેમ્બરથી ખુલશે શાળાઓ
હરિયાણામાં સોમવારથી 10-12ના વિદ્યાર્થીઓ જ્યારે 21મી તારીખથી 9થી 11ના વિદ્યાર્થીઓ માટે ખુલી જશે શાળા
મહારાષ્ટ્રમાં ગયા મહીને જ ખુલી 9થી 12 માટે ખુલી ગઈ શાળાઓ
ઓડીશા સરકાર જલ્દી જ શાળા ખોલવા માટે લઇ શકે છે નિર્ણય
આ રાજ્યોએ ચોખ્ખી ના પાડી
કોરોના વાયરસના પ્રકોપને જોતા કેટલાક રાજ્યોએ જાહેરાત કરી દીધી છે કે હાલમાં શાળા ખુલવાની સંભાવના નથી. દિલ્હી, પ.બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમમાં શાળા હાલમાં ખુલે તેવી શક્યતા ઓછી છે. મધ્યપ્રદેશમાં તો આઠમા ધોરણ સુધીની શાળા0 31 માર્ચ, 2021 બંધ રહેશે.
ગુજરાતમાં શું છે સ્થિતિ
ગુજરાતમાં પણ નવેમ્બર મહિનામાં શાળાઓ ખોલી દેવાનો નિર્ણય લીધો હતો જોકે કોરોનાના કેસમાં વધારાને જોતા છેલ્લે છેલ્લે નિર્ણયને બદલી દેવામાં આવ્યો હતો. હાલમાં સરકાર કોરોનાની પરિસ્થિતિ સુધરવાની રાહ જોઈ રહી છે અને તેને જોતા આગામી સમયમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
પરિસ્થિતિ સુધરે તેની રાહ
કોરોનાના હાહાકારને જોતા આ વર્ષે મોટા ભાગના વિસ્તારોમાં શાળાઓ નહીં ખુલે. અનેક રાજ્યો પરિસ્થિતિ હજુ સુધરે તેની રાહ જોઈ રહ્યા છે. એવામાં અમુક રાજ્યમાં આવતા વર્ષથી ધીમે ધીમે શાળાઓ ખોલી શકાય છે.