ગુજરાત સરકારના શાળા કોલેજોના નિર્ણય પર વાલીઓએ નારાજગી દર્શાવી છે. સરકારના નિર્ણયને ડેથ સર્ટિફિકેટ ગણાવ્યું છે.
અમદાવાદ સ્કૂલ-કોલેજોને લઇને સરકારનો નિર્ણય
સરકારના નિર્ણય પર વાલીઓની નારાજગી
સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય અયોગ્ય ગણાવ્યો
સ્કૂલ-કોલેજોને લઇને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે જેને પગલે રાજ્ય સરકારના નિર્ણય પર વાલીઓની નારાજગી સામે આવી છે. સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય અયોગ્ય ગણાવતા વાલીઓ જીવના જોખમે સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોકલવા પર ઇનકાર કર્યો છે.
ઓનલાઇન એજ્યુકેશન આપવાનો વાલીઓનો નિર્ણય છે. વાલીઓની લેખિત પરવાનગીના સરકારના નિર્ણયને ડેથ સર્ટિફિકેટ ગણાવ્યો છે. વાલીઓ વિદ્યાર્થીઓ સંક્રમિત થયા તો જવાબદારી સરકાર કેમ લેવા નથી માંગતી તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
શું છે રાજ્ય સરકારનો નિર્ણય
રાજ્યમાં સરકારે માધ્યમિક, ઉ.માધ્યમિક અને કોલેજો ખોલવાનો કેબિનેટ મીટિંગ બાદ નિર્ણય કર્યો છે. આગામી 23 નવેમ્બરથી ધો 9 થી 12 અને કોલેજોને શરૂ કરાશે. જ્યારે ધો. 1થી 8નો નિર્ણય આગામી દિવસોમાં કરવામાં આવશે. તમામ ઉંમરના શિક્ષકોએ ફરજિયાત આવવાનું રહેશે તેમ પણ સરકારે જણાવ્યું હતું.