ફી મામલે ફરી એકવાર ગાંધીનગરમાં વાલીઓ અને શિક્ષણમંત્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. સ્વર્ણિમ સંકુલ-1 પર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાલીમંડળના 3 પ્રતિનિધિઓ મળ્યા હતા. પરંતુ હવે વાલી મંડળની બેઠકમાં ડખો થયો છે.
ગાંધીનગરમાં વાલી મંડળની બેઠકમાં ડખો
વાલીમંડળના સભ્યોએ નરેશ શાહ પર લગાવ્યા આક્ષેપ
અન્ય વાલી મંડળને કેમ બેઠક માટે સરકારે ન બોલાવ્યા
સ્કૂલ ફીની રાહત માટેની કવાયત વચ્ચે વાલીમંડળમાં જ વિખવાદ થયો છે. એક જ ઓલ ગુજરાત વાલીમંડળને શા માટે બેઠકમાં બોલાવાયું, અન્ય વાલી મંડળને કેમ બેઠક માટે સરકારે ન બોલાવ્યા હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.
ફીમાં રાહતનો મુદ્દો બાજુઓએ મુકી સભ્યો અંદરોઅંદર બાખડ્યા છે. વાલીમંડળના કેટલાક સભ્યોને મિટિંગમાં ન જવા દેતા વિખવાદ સર્જાયો છે. વાલીમંડળના સભ્યોએ એક બીજા પર આક્ષેપ બાજી શરૂ કરી છે. જે લોકો શિક્ષણનો ધંધો કરે છે તેમને બેઠકમાં બોલાવાયાનો આક્ષેપ કરાયો છે.
નરેશ શાહ સરકારના દલાલ હોવાનો આક્ષેપ
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહ પર વાલીમંડળના સભ્યોએ આક્ષેપ લગાવ્યા છે. વાલીમંડળ તરફથી નરેશ શાહને પ્રમુખ નથી બનાવાયા. નરેશ શાહ સરકારના દલાલ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. શાળા સંચાલકોને મળીને આવેલા લોકોને બેઠકમાં બોલાવાયા છે. શાળા સંચાલકો સાથે મળીને પોતાના સેટિંગ ગોઠવી રહ્યાં છે. આવા સભ્યો વાલીઓનું કઇ રીતે ભલુ કરશે. અમે 100 ટકા ફી માફીની માગ કરી રહ્યાં છીએ. 100 ટકા ફી માફીની માગ કરી એમને બીજી બેઠકમાં ન જવા દેવાયા.
સુરત વાલી મંડળે સરકારની નિતી સામે ઊભા કર્યા સવાલ
ફી રાહત મામલે સરકારની નિતી સામે સુરત વાલી મંડળે આક્ષેપ કર્યા છે. વાલી મંડળે કહ્યું કે, ફી મામલે ચર્ચા કરવા બોલાવવા અનેક રજૂઆતો કરી છે. પરંતુ ભેદભાવ ભરી નિતી રાખીને સરકાર ફી અંગે ચર્ચા કરે છે. સમગ્ર મામલે પારદર્શિતા લાવવામાં શિક્ષણ વિભાગ નિરાશ છે. નિશ્ચિત વાલી મંડળો સાથે મંત્રણા કરવામાં આવે છે અને અનેક કાર્યરત વાલી મંડળની અવગણના કરવામાં આવે છે
સરકારની મંછા સામે સુરત વાલી મંડળે સવાલ ઊભા કર્યા છે. CM, DyCM અને શિક્ષણમંત્રીને ફી મામલે ચર્ચા કરવા પત્ર લખ્યો છે. એક જ વાલીમંડળ સાથે ચર્ચાને લઈ શિક્ષણ વિભાગ સામે સવાલ કર્યા છે.