ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલ ફીનો મુદ્દા છવાયેલો છે. ત્યારે આજે શુક્રવારના રોજ વાલીમંડળ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા વચ્ચે બેઠક મળી હતી. જેમાં શાળા સંચાલકો 25 ટકા ફી માફી આપવા તૈયાર હોવાનો વાલીમંડળે દાવો કર્યો છે.
શિક્ષણમંત્રી સાથે વાલીમંડળની બેઠક પૂર્ણ
વાલી મંડળે હકારાત્મક બેઠક હોવાનું કહ્યું
હાલ સરકાર 25 ટકા ફી માફી આપવા તૈયાર હોવાની વાત
આજરોજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વાલીમંડળ વચ્ચે યોજાયેલી બેઠક હકારાત્મક રહી હોવાનું વાલી મંડળ દ્વારા જણાવામાં આવ્યું છે. હાલ સરકાર 25 ટકા ફી માફી આપવા તૈયાર હોવાનું સામે આવ્યું છે. આ સાથે વાલી મંડળ અને સરકાર વચ્ચે મંગળવારે ફરી બેઠક યોજાશે.
વાલીમંડળ અને શિક્ષણમંત્રીની આજે મળેલી બેઠકમાં શાળા સંચાલકો 25 ટકા ફી માફી આપવા તૈયાર હોવાના દાવો કરવામાં આવ્યો છે. જો કે વાલીમંડળો દ્વારા 50 ટકા ફી માફીની માગ કરવામાં આવી છે. જો કે આ અંગે પુનઃ એકવાર બેઠક મળશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
જો કે બીજીતરફ વાલીઓએ પ્લે કાર્ડ સાથે અમદાવાદ DEO કચેરીએ વિરોધ નોંધાવ્યો છે. સ્કૂલ ફી માફ કરોનો પોસ્ટરો સાથે વિરોધ દર્શાવ્યો છે. અમારી ભૂલ કમળનું ફૂલના પોસ્ટર સાથે વિરોધ દર્શાવ્યો છે. સરકાર શાળા સંચાલકોના ખોળે બેસી ગઇ.