બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / school bus accident near navsar
Hiren
Last Updated: 09:31 AM, 10 February 2020
ADVERTISEMENT
પ્રાપ્ત મળતી વિગત અનુસાર અંકલેશ્વરમાં આવેલી અમૃતપુરા પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીઓને સાપુતારા પ્રવાસે લઇ જવામાં આવી રહ્યાં હતા ત્યારે નવસારી પાસે ચીખલી નજીક સ્કૂલ બસને પ્રવાસ નડ્યો હતો. આ અકસ્માત રાણકુવાથી વાસંદા માર્ગ પાસે થયો હતો.
આ સ્કૂલ બસમાં કુલ 54 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી અંદાજે 20 વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
અંકલેશ્વરની અમૃતપુરા પ્રાથમિક શાળાના બાળકોને આજરોજ સાપુતારના પ્રવાસે લઇ જવામાં આવી રહ્યાં હતા. આ અકસ્માત ચીખલી નજીક રાણકુવાથી વાસંદા માર્ગ પર થયો હતો. એક મળતી જાણકારી મુજબ વધુ ઇજાગ્રસ્ત બાળકોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.