IPLની હરાજી પહેલા દિગ્ગજ પ્લેયર સચિન તેન્ડુલકરનાં દીકરા અર્જુન તેન્ડુલકરને મોટો ફટકો પડ્યો છે. આગામી વિજય હરારે ટ્રોફી માટે મુંબઈની ટીમમાં તેને જગ્યા નથી મળી.
22 પ્લેયરની ટીમમાં પોતાની જગ્યા ના બનાવી શક્યો
અભ્યાસ મેચોમાં ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું
આઈપીએલમાં બેઝ પ્રાઇઝ 20 લાખ રાખી છે
શ્રેયસ ઐયર બન્યો કેપ્ટન
મુંબઈની ટીમે આ મહિને શરુ થનાર વિજય હરારે એકદિવસીય શ્રંખલા માટે શ્રેયસ ઐયરને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. જ્યારે સચિનનો દીકરો અર્જુન તેન્ડુલકર 22 પ્લેયરની ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ નીવડ્યો છે.
અર્જુને બે ઓવરમાં 21 રન આપ્યા
21 વર્ષિય અર્જુન તેન્ડુલકરને પહેલીવાર કોઈ સિનિયર ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અર્જુન ડાબા હાથનો ફાસ્ટ બોલર છે જેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની ટીમમાં તક આપવામાં આવી હતી. અર્જુને એલીટ ઈ લીગ ગ્રૂપ મેચથી પોતાનો ડેબ્યૂ કર્યો અને તે મેચમાં તેણે બે ઓવરમાં એક વિકેટ લઈને 21 રન આપ્યા હતા.
ત્રણ મેચમાં ફક્ત 7 રન બનાવ્યા
અર્જુનને વિજય હરારે ટ્રોફી માટે મુંબઈએ તેનાં 100 શક્ય પ્લેયરમાં સમાવેશ કર્યો હતો પણ અભ્યાસ મેચોમાં તેનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું. જ્યાં તે ખૂબ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. અભ્યાસ મેચોમાં તેણે ટીમ ડી માટે ચાર મેચો રમી પણ તેમાં તેણે બોલ અને બેટ બંનેમાં ખરાબ પ્રદર્શન આપ્યું હતું. તેણે ચાર મેચોમાં ચાર વિકેટ લીધી. જ્યારે બેટીંગમાં ત્રણ મેચમાં ફક્ત 7 રન બનાવી શક્યો.
આઈપીએલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે
અર્જુને આ વર્ષે આઈપીએલની હરાજી માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. તે 1097 ખેલાડીઓમાં સામેલ છે. અર્જુને આઈપીએલની હરાજીમાં પોતાની બેઝ પ્રાઇઝ 20 લાખ રુપિયા રાખી છે. હવે જોવુ રહ્યું કે આઈપીએલની હરાજીમાં અર્જુનને કઈ ટીમ ખરીદવામાં ઇચ્છા વ્યક્ત કરે છે.
પૃથ્વી શો વાઈસ કેપ્ટન
20 ફેબ્રુઆરીથી શરુ થનાર વિજય હરારે ટ્રોફી માટે મુંબઈની ટીમે ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. જ્યારે પૃથ્વી શોને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. તેની સાથે ટીમમાં શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જૈસવાલ, સરફરાઝ ખાન અને અખિલ હરવાદકરની સાથે આદિત્ય તારેને સામેલ કરવામાં આવ્યો છે. બોલિંગ આક્રમણમાં ધવલ કુલકર્ણી, તુષાર દેશપાંડે અને આકાશ પારકર તેમજ સ્પિનર શમ્સ મુલાની અને અથર્વ અકોલેકરનો સમાવેશ કરવામાં આવ્યો છે.