બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'જે ઘટના બની તેને સમાજ સાથે લેવાદેવા નથી' ગણેશ જાડેજાના સમર્થનમાં અનુસુચિત જાતિ સમાજ
Last Updated: 10:53 AM, 9 June 2024
ગોંડલનાં પૂર્વ ધારાસભ્યનાં દીકરાની ધરપકડને લઈને સમાજનાં આગેવાનનું નિવેદન સામે આવ્યું છે. આ સમગ્ર મામલે અનુસિચિત જાતિ સમાજનાં નારણ પરમારે નિવેદન સામે આવ્યું છે. જે ઘટના બની છે તેને સમાજ સાથે કંઈ લેવા દેવા નથી. તેમજ અનુસિચિત જાતિ સમાજનાં બધા કામોમાં જયરાજસિંહનો પરિવાર સાથે ઉભો રહ્યો છે. તેમજ પરિવારનાં દરેક સભ્યોએ સમાજનાં કામોમાં આગળ રહીને કામ કર્યું છે.
ADVERTISEMENT
જેલ હવાલે કરાયો ગણેશ જાડેજા
પોલીસે ગણેશ જાડેજાની 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે રિમાન્ડ આપવાનો ઇન્કાર કરતા આરોપીને હવે જેલ હવાલે કરાયો છે.
ADVERTISEMENT
ધરપકડ પહેલાનો ઘટનાક્રમ
આ પહેલા જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા દ્વારા માર મારવાની ઘટના સામે ધોરાજી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.. અનુસૂચિત જાતિના લોકો દ્વારા આ મામલે ધોરાજી ડેપ્યૂટી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું .. અને ગણેશ જાડેજાની ધરપકડની માંગ કરાઇ હતી. સાથે જ ચીમકી અપાઇ હતી કે જો ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
શું હતી સમગ્ર ઘટના ?
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા એનએસયૂઆઇ પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું.. જે બાદ તેને ગોંડલના ગણેશ ગઢ ખાતે લઇ જઇ તેના કપડા કાઢી તેને ઢોર માર માર્યો હતો. અને તેને માર મારતો વીડિયો બનાવી આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપી હતી. સંજય સોલંકી દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીનો પુત્ર છે.. આ ઘટનામાં ભોગ બનનાર દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.