આદિવાસી સર્ટી મુદ્દે ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આદિવાસીઓની હકની લડાઇમાં પૂર્વ સાંસદ તુષાર ચૌધરી પણ જોડાયા છે. આંદોલનને લઇ તુષાર ચૌધરીએ કહ્યું કે અપાયેલા ખોટા સર્ટિફિકેટોને રદ કરવાની અમે માગ કરી છે.
આદિવાસી સર્ટી મુદ્દે ગાંધીનગરમાં આંદોલન
અદિવાસીઓની હકની લડાઈમાં જોડાયા પૂર્વ સાંસદ તુષાર ચૌધરી
સત્યાગ્રહ છાવણી ખાતે ચાલી રહ્યુ છે આંદોલન
આદિવાસીના દીકરાને ન્યાય મળવો જોઇએ. અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉગ્ર આંદોલન ચાલું જ રાખીશું. બે દિવસ પહેલા સાંસદ મનસુખ વસાવા પણ આંદોલનના સમર્થનમાં પહોંચ્યા હતા. આદિવાસીના ખોટા પ્રમાણપત્ર મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્ર બનતા
આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્ર બનતા હતા. જેનાથી આદિવાસીના હક સમાપ્ત થઈ જતા હતા. જેથી ગુજરાત વિધાનસભામાં સરકારે કાયદો બનાવીને કમિટી બનાવી હતી. ત્યારે આ કમિટીએ તપાસ કરી અને 200 જેટલા પ્રમાણ પત્ર રદ કર્યા અને ટ્રાઇબલ કમિશનર અને તેમની ટીમે રદ થયેલા પ્રમાણપત્રની ફરી સમીક્ષા કરી. ત્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આદિવાસીઓની અનામતનો અન્ય લાભ લઇ રહ્યાં છે.
આદિવાસીઓ કેમ કરી રહ્યા છે વિરોધ?
ઉલ્લેખનીય છે કે, 1956 માં રાષ્ટ્રપતિ દ્વારા ગીર બરડો વિસ્તારમાં નેસમાં રહેતા રબારી- ભરવાડ અને ચારણ ને એ દુર્ગમ વિસ્તારમાં રહેતા હોઇ અનુસૂચિત જનજાતિ નો દરજ્જો આપ્યો હતો. જોકે શરતી એ હતી કે જેઓ નેશ વિસ્તાર છોડશે તે આપોઆપ આ દરજ્જો ગુમાવશે.