અરવલ્લીના મુલોજ ગામમાં સ્મશાનનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી અંતિમવિધિ માટે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અરવલ્લી જિલ્લામાં મૃત્યુ બાદ પણ મુશ્કેલી
મૃતદેહ લઈ જવા માટે સ્મશાનનો રસ્તો છે બિસ્માર
રસ્તો બિસ્માર હોવાથી ડાઘુઓ બન્યા લાચાર
અરવલ્લી જિલ્લામાં મૃતદેહને સ્મશાને લઈ જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી કરુણતા સામે આવી છે. મોત બાદ પણ મુશ્કેલી સમાન આ કિસ્સામાં અરવલ્લીના મુલોજ ગામમાં મૃતદેહ લઈ જવા માટે સ્મશાનનો રસ્તો બિસ્માર હોવાથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્મશાને જવા માટેનો પાકો રસ્તો પણ નવાથી ડાઘુઓ લાચાર બન્યા છે. ઝાડી ઝાંખરામાં થઇને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી મહામહેનતે મૃતદેહને લઇને જવુ પડે છે. આ ગામમાં વર્ષોથી સ્મશાનનો રસ્તો જ ન હોવાથી ગ્રામજનો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. આ અંગેની ગામલોકોની પરેશાનીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ વિડીયો...
ગ્રામજનોની હાલાકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અરવલ્લીના મુલોજ ગામમાં અંતિમવિધિ માટે સંઘર્ષ કરવો પડતો હોવાથી સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. આ ગામમાં દર ચોમાસામાં સામાન્ય વરસાદથી જ પાણી ભરાય જાય છે. જેને લઈને રસ્તો પોતાનું અસ્તિત્વ ખોઈ બેસતો હોય તેવો ઘાટ સર્જાઇ છે. આથી મૃતદેહને સ્મશાને લઈ જવા કાદવ-કીચડ ખૂંદી અને પાણીમાંથી પસાર થવું પડે છે અથવા તો શબવાહીનીની મદદ લેવી પડે છે. અનેક રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.