કોરોનાની બીજી લહેર નબળી પડવાને કારણે પ્રતિબંધોમાં છૂટ અપાતા મનાલી, શિમલા જેવા હિલ સ્ટેશનોએ વધતી જતી ભીડ જોઈને કેન્દ્ર સરકારની ચિંતા વધી છે.
કોરોના પ્રતિબંધોમાં છૂટ મળતા લોકો થયા બેફિકર
મનાલી, શિમલા સહિતના દેશના હિલ સ્ટેશનોએ ભીડ વધવા લાગી
લોકો કોરોનાના નિયમોનું પાલન ન કરતા જોઈને કેન્દ્ર સરકારને ચિંતા થઈ
લોકો નિયમોનું પાલન નહીં કરે તો છૂટ પરત ખેંચાશે- કેન્દ્ર સરકાર
હિલ સ્ટેશનો પરની લોકોની બેફિકર ભીડ જોઈને કેન્દ્ર સરકાર ચિંતિત
દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘટવા લાગી છે તેને કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પણ પોતપોતાની રીતે કોરોનાના પ્રતિબંધોમાં છૂટ આપવા લાગી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે મનાલી, શિમલા સહિતના દેશના જાણીતા હિલ સ્ટેશનોએ ભીડ વધી રહી છે અને લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા દેખાતા નથી. લોકો માસ્ક વગર બિંદાસ્ત રખડી રહ્યાં છે.
લોકો નિયમોનું પાલન નહીં કરે તો પ્રતિબંધોમાં અપાયેલી છૂટ પાછી ખેંચાશે- કેન્દ્ર સરકાર
હિલ સ્ટેશનો પરની લોકોની બેફિકર ભીડ જોઈને કેન્દ્ર સરકારે ચિંતા થઈ છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઈઝરી બહાર પાડીને જણાવ્યું કે જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો ફરી વાર પ્રતિબંધોમાં અપાયેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવશે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે અત્યાર સુધી કોરોનાની બીજી લહેરમાં મળેલી રાહતને કોરોના પ્રોટોકોલ તોડનાર લોકો ખતમી કરી શકે છે.
લોકો પ્રોટોકોલનું પાલન કરતા નથી, બીજી લહેર હજુ ગઈ નથી- સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલ
લવ અગ્રવાલે જણાવ્યું કે લોકો હિલ સ્ટેશનોએ જવા લાગ્યાં છે. આવા લોકો કોરોના પ્રોટોકોલનું પણ પાલત કરી રહ્યાં નથી. જો આવું થશે તો અમે પ્રતિબંધોમાં અપાયેલી છૂટ પરત લઈ શકીએ છીએ. તેમણે કહ્યું કે કોરોના્ની બીજી લહેર હજુ ગઈ નથી.
કોરોનાની બીજી લહેર સીમિત ક્ષેત્રમાં આપણી વચ્ચે છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 5 લાખ કરતા પણ ઓછી થઈ છે. જોકે હજુ પણ મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય અને સિક્કીમ જેવા રાજ્યો ચિંતાનો વિષય બની રહ્યાં છે.