ભાવનગરમાં એક જાગૃત નાગરિક દ્વારા શાળાઓમાં 25 લાખના કૌભાંડનો પર્દાફાસ થયો છે.
ભાવગનર-પાલિતાણા શાળાઓમાં કૌભાંડની ફરિયાદ
જાગૃત નાગરિકે DEOને લેખિતમાં આપી ફરિયાદ
25 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ
ભાવનગરના પાલીતાણામાં 25 લાખના કૌભાંડની ફરિયાદ સામે આવી છે. અલગ અલગ શાળાના BRC, CRC અને આચાર્યો સામે ફરિયાદ થઈ છે.
જાગૃત નાગરીકે DEOએ લેખિતમાં ફરિયાદ કરી છે. સરકારી ગ્રાન્ટના પૈસા અંગત કામ માટે વાપર્યાની હોવાની રાવ છે. કુલ 9 લોકો વિરુદ્ધ શિક્ષણાધિકારીને ફરિયાદ કરાઇ છે. જેમાં હોસ્ટેલ, STP વર્ગના વાઉચર અને બિલમાં ગેરરીતિની ફરિયાદ છે. ફરિયાદ મળતા નાયબ DPEOને શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.