સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું કાર્યાલય આરટીઆઇ હેઠળ આવવું જોઇએ કે નહીં આ મુદ્દા પર બુધવારે નિર્ણય લેવાઇ શકે છે. બંધારણીય બેન્ચે એપ્રિલમાં મામલાની સુનાવણી બાદ ચૂકાદો અનામત રાખ્યો હતો. જજીસના કામકાજને RTI હેઠળ લાવવા માટે સૌથી મોટી દલીલ એ રહી છે કે તેના કારણે જનતામાં ન્યાયપાલિકા માટે વિશ્વસનિયતા વધશે અને સિસ્ટમમાં વધારે પારદર્શિતા આવશે.
સુપ્રીમ કોર્ટે બંધારણપીઠે આ મામલામાં એપ્રિલમાં સુનાવણી બાદ ચૂકાદો અનામત રાખ્યો
ચીફ જસ્ટિસનું કાર્યાલય RTI હેઠળ આવવું જોઇએ કે નહીં, આવતીકાલે આવી શકે ચૂકાદો
સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીએ દિલ્હી હાઇકોર્ટના આદેશને ટોચની કોર્ટમાં પડકાર્યો હતો
જાણો, શું છે મામલો
સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીએ દિલ્હી હાઇકોર્ટના એ આદેશને ટોચની કોર્ટમાં પડકાર્યો હતો જેમા સીઆઇસીના આદેશને યોગ્ય બતાવાયો હતો. સીઆઇસીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું કાર્યાલય આરટીઆઇ હેઠળ છે. સીઆઇસી અને હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ 2010માં પડકાર્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર સ્ટે મુક્યો હતો અને મામલાને બંધારણીય બેન્ચને રેફર કરી દીધો હતો.
Supreme Court will tomorrow pronounce the judgement on the case whether office of the Chief Justice of India comes under the purview of the transparency law, Right to Information (RTI) Act or not. pic.twitter.com/ptm86664cM
આ મામલામાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે વકાલત કરતા તર્ક આપ્યો હતો કે, સૂચનાના અધિકાર હેઠળ જજીસના કાર્યો સાર્વજનિક દાયરામાં આવવા જોઇએ. વરિષ્ઠ વકીલે સાથે કહ્યું હતું કે ચીફ જસ્ટિસ સહિત કોલિજિયમના અન્ય જજ સારુ કાર્ય કરે છે, પરંતુ તેમ છતા આ વિશે જાણકારી સાર્વજનિક થવી જોઇએ.
સિસ્ટમમાં પારદર્શિતા પ્રાથમિકતા : CJI
મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, કોઇ નથી ઇચ્છતુ કે સિસ્ટમમાં અપારદર્શિતા રહે. કોઇ ઇચ્છતુ નથી કે તેઓ કામથી અજાણ રહે અથવા કોઇને કામથી અજાણ રાખવામાં આવે. જોકે, હાલ નિર્ણય અનામત રાખવામાં આવે છે.