મોબાઇલ ફોન ધારકોને મલ્ટીમીડિયા સેવાઓ પૂરી પાડવા કરાર થયો હતો
2011માં સ્પેક્ટ્રમની હરાજીમાં હેરાફેરીના આરોપો બાદ સોદો રદ કરાયો
નિર્મલા સીતારમણનો ઘટસ્ફોટ : UPA સરકારે કરેલો આ સોદો ભારત સાથે છેતરપિંડી, તેના કારણે આજે મોદી સરકાર પણ મુશ્કેલીમાં
1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ પહેલા મંગળવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા નાણામંત્રી સીતારામણે કોંગ્રેસ રાજમાં થયેલા એન્ટ્રીક્સ દેવાસ સોદાના મામલે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. નિર્મલા સીતારામણે કહ્યું કે દેવાસ મલ્ટિમીડિયાના લિક્વીડેશનને યથાવત સ્થિતિએ રાખનાર સુપ્રીમ કોર્ટનો આદેશ વ્યાપક છે.
Master game players in this are the Congress & with this SC order we're able to see that...Now it should be Congress' turn to answer how cabinet was kept in dark. They should have no moral right to speak about crony capitalism: Finance Min Nirmala Sitharaman on Devas-Antrix issue pic.twitter.com/dpqmgc8au3
એન્ટ્રીક્સ દેવાસ મામલો ભારતના લોકો સાથે થયેલી છેતરપિંડી
સીતારામણે કહ્યું કે એન્ટ્રીક્સ દેવાસ મામલો ભારતના લોકો સાથે થયેલી છેતરપિંડી હતી અને આ આખા દેશ વિરૃદ્ધની છેતરપિંડી છે. તેમણે કહ્યું કે 2005ની સાલમાં થયેલો દેવાસ સોદો દેશની સુરક્ષા વિરૃદ્ધ હતો. તેમણે આ સોદા માટે તત્કાલીન યુપીએ સરકારને જવાબદાર ઠેરવી છે.
યુપીએ સરકારની લાલચને કારણે મોદી સરકારને ઘણા આંતરરાષ્ટ્રીય કેસ લડવા પડ્યાં
કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલે મહત્વનો નિર્ણય આપ્યો છે, જેને દરેકે ધ્યાનમાં લેવો જોઈએ. સંરક્ષણ મંત્રાલય માટે ઉપયોગમાં લેવાતા ટેલિકોમ બેન્ડ ખાનગી કંપનીઓને વેચવામાં આવ્યા હતા. યુપીએ સરકારની લાલચને કારણે આજે મોદી સરકારને ઘણા આંતરરાષ્ટ્રીય કેસ લડવા પડે છે. યુપીએ સરકારના આ નિર્ણયની માહિતી તે સમયે કેબિનેટને પણ આપવામાં આવી ન હતી. કોંગ્રેસે પૈસાના લોભમાં દેશની મહત્વની બેન્ડ ખાનગી કંપનીને વેચી દીધી.
"It's a fraud of the Congress, for the Congress and by the Congress," says Finance Min Nirmala Sitharaman on the Devas-Antrix issue pic.twitter.com/5eIV0fXas8
નાણામંત્રીએ કહ્યું કે તે સમયે કોંગ્રેસની સરકાર હતી, પરંતુ આ ફ્રોડ ડીલને રદ્દ કરવામાં 6 વર્ષ લાગ્યા. સુપ્રીમ કોર્ટે NCLTના નિર્ણયને યથાવત રાખ્યો હતો, જેની સરકાર દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. દેવાસ ઈસરોના ભૂતપૂર્વ સચિવની કંપની હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેવાસને લિક્વિડેશનની પ્રક્રિયા શરૂ થશે. સીતારમણે કહ્યું કે, અમે કરદાતાઓના પૈસા બચાવવા માટે લડી રહ્યા છીએ અન્યથા અમારે છેતરપિંડી એન્ટ્રિક્સ-દેવાસ ડીલ માટે ચૂકવણી કરવી પડશે. 5:37 PM 1/18/2022
નાણામંત્રીએ કહ્યું કે સીબીઆઈ અને ઈડી પણ આ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ તેઓ આ મામલે કંઈ કહી શકે તેમ નથી. તેમનું કામ દેવાસ કેસમાં સરકારનો પક્ષ રજૂ કરવાનું પણ છે. તેમણે કહ્યું કે સરકાર હાલમાં સુપ્રીમ કોર્ટનો પક્ષ સૌની સામે મૂકી રહી છે, જે આદેશ એક દિવસ પહેલા આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું, દેવાસ એન્ટ્રિક્સ ડીલની છેતરપિંડીથી બચી શક્યું નહીં, તેથી સરકારે તમામ કોર્ટમાં લડાઈ લડી. કોંગ્રેસ સરકારે જનતાના પૈસાને છેતરપિંડીથી બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો, જ્યારે આજે આ કામ મોદી સરકાર કરી રહી છે.
Liquidation process (for Devas Multimedia) will begin: Finance Minister Nirmala Sitharaman on Devas-Antrix issue after Supreme Court order dismissed Devas' appeal against National Company Law Tribunal and National Company Law Appellate Tribunal pic.twitter.com/sA0qszIees
શું છે એન્ટ્રિક્સ દેવાસ મામલો
17 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે NCLT વિરુદ્ધ દેવાસ મલ્ટીમીડિયા અને દેવાસ એમ્પ્લોઈ મોરેશિયસની અરજીઓને ફગાવી દીધી હતી. દેવાસ મલ્ટીમીડિયાએ 2005માં ISROની કોમર્શિયલ આર્મ એન્ટ્રિક્સ સાથે એસ-બેન્ડ સેટેલાઇટ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને મોબાઇલ ફોન ધારકોને મલ્ટીમીડિયા સેવાઓ પૂરી પાડવા માટે લીઝ પર કરાર કર્યો હતો. પરંતુ વર્ષ 2011માં સ્પેક્ટ્રમની હરાજીમાં હેરાફેરીના આરોપો બાદ આ સોદો રદ કરવામાં આવ્યો હતો.