સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યા છે કે, તે કોરોનાથી મોતનું વળતર મેળવવા માટે ખોટા દાવા કરનારા આરોપીઓની તપાસ કરાવશે, આ મામલે ટૂંક સમયમાં આદેશ આવી શકે છે.
કોરોનાથી મોતના વળતર માટે ખોટા દાવા
સુપ્રીમ કોર્ટે આ મામલે થઈ ચિંતિત
ખોટા દાવા કર્યા હશે તેનું આવી બનશે
સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યા છે કે, તે કોરોનાથી મોતનું વળતર મેળવવા માટે ખોટા દાવા કરનારા આરોપીઓની તપાસ કરાવશે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એ પણ જાણકારી આપી હતી કે, કોરોનાથી મોતના સત્તાવારા આંકડા અને વળતર મેળવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીની સંખ્યામાં બહું મોટું અંતર છે. કેન્દ્ર સરકારે માગ કરી હતી કે, મામલામાં ઓડિટ અથવા કોઈ પણ રીતે તપાસ થવી જોઈએ.
ખોટા દાવાની થશે સમીક્ષા
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે એ આદેશ આપ્યો હતો કે, સમગ્ર દેશમાં કોરોનાથી મરનારા પરિવારને 50 હજારનું વળતર આપવામાં આવે. કોર્ટે કહ્યું કે, આ વળતર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથોરિટીએ આપવાનું રહેશે. ગત સુનાવણીમાં કેન્દ્ર સરકારે કોર્ટમાં એ શંકા વ્યક્ત કરી હતી કે, વળતર મેળવવા માટે મોટા પાયે નકલી કૌભાંડો સામે આવ્યા છે. લોકોએ કોરોનાથી મોતના ખોટા સર્ટિફિકેટ જમા કરાવીને વળતર માટે અરજી આપી હતી અને તેમને ચુકવણુ પણ થઈ ગયું છે. કેન્દ્ર તેની તપાસ ઉપરાંત આ માગ કરી હતી કે, સુપ્રીમ કોર્ટ ભવિષ્યમાં દાખલ થનારી અરજીની સમય મર્યાદા નક્કી કરે.
NDMA વળતરના ખોટા દાવાની સમીક્ષા કરે
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહની અધ્યક્ષતાવાળી બેંચે સુનાવણી દરમિયાન આ મામલામાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જ્યારે અમે વળતરનો આદેશ આપ્યો હતો, ત્યારે કલ્પના પણ નહોતી કરી કે, આ પ્રકારના ખોટા દાવા આવશે. કોર્ટે ગત અઠવાડીયે એવા સંકેટ આપ્યા હતા કે, તે આ મામલાની તપાસ કરાવશે. આજે કોર્ટમાં આદેશ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આ આદેશ બુધવારે 23 માર્ચે આવવાની આશા છે.
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ આર બસંતે તપાસ સ્થાનિક પોલીસને સોંપવાની જગ્યાએ વિધિક સેવા અથોરિટી પાસે કરાવાની ભાલમણ કરી છે. તો વળી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથોરિટીને એ અધિકાર છે કે, તે ખુદ વળતરના ખોટા દાવાની સમીક્ષા કરે, કોર્ટે આ સૂચનને નોટ કર્યું છે.
ચાર રાજ્યોમાં સૌથી વધારે અંતર જોવા મળ્યું
કોર્ટે સંકેત આપ્યો છે કે, તે ચાર રાજ્યો- આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરલમાં 5 ટકા દાવાની સમીક્ષા કરવાનો આદેશ આપશે. આ મામલામાં સમજવામાં મદદ મળશે. આ રાજ્યોમાં વળતર માટે કરવામાં આવેલા દાવા અને કોરોનાના મોતના આંકડામાં સૌથી મોટુ અંતર જોવા મળ્યું છે. કોર્ટે એવું પણ કહ્યું છે કે, તે કોરોનાથી થઈ ચુકેલા મોત મામલે વળતરનો દાવો હવે 60 દિવસ નક્કી કરશે. ભવિષ્યમાં થનારા મોત મામલે વળતર મેળવવા માટે દાવો પણ 90 દિવસની અંતર કરવાનો રહેશે.