સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' પર નિર્ણય લેતા પહેલા ફિલ્મ જોવા માટે કહ્યું છે. ચૂંટણી પંચે શુક્રવારે ચૂંટણી દરમિયાન આ ફિલ્મની રિલીઝ અટકાવી હતી.
ચૂંટણી પંચે આદેશ આપતા કહ્યું હતું કે, એવી કોઈ પણ પ્રચારની સામગ્રી અથવા પોસ્ટર કે જે કોઈ ઉમેદવારની છબીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વધારે સારી બતાવતા કન્ટેન્ટને આચાર સંહિતા દરમિયાન ઈલેક્ટ્રોનિક મીડિયામાં ન બતાવવું જોઈએ.
ચૂંટણી પંચના આ નિર્ણય સામે ફિલ્મ નિર્દેશકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. નિર્દેશકોની વકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ચૂંટણી પંચે ફિલ્મ જોયા વગર જ તેની રિલીઝને અટકાવી છે.
ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ સોમવારે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું કે, સોશયલ મીડિયા પર તેમના નામથી લાલકૃષ્ણ અડવાણીને લખેલી ચિઠ્ઠી વાઈરલ થઈ રહી છે. તેમણે કહ્યું કે, આવો કોઈ પત્ર મેં લખ્યો નથી. તેમણે મામલાની તપાસ કરીને ઝડપી કાર્યવાહી કરવાની માગ કરી છે.
Senior BJP leader Murli Manohar Joshi writes to Chief Election Commissioner Sunil Arora seeking investigation into the fake letter circulating on social media in his(MM Joshi) name pic.twitter.com/4Oe3RBmkjq