કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો છે કે SC-ST જાતિના ક્રીમી લેયરને આરક્ષણના લાભથી બહાર રાખવા સંબંધી સુપ્રીમ કોર્ટના 2018ના નિર્ણય પુનર્વિચાર માટે આ મામલો સાત ન્યાયાધિશોની બેંચને સોંપવામાં આવે.
SC-STના ક્રીમી લેયરને અનામતથી બહાર રાખવાનો નિર્ણય
કેન્દ્રનો SCને પુનર્વિચારનો આગ્રહ
પાંચ સભ્યોની બેંચે 2018માં પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે SC-ST જાતિના ક્રીમી લેયરને કૉલેજમાં દાખલા અને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ નહીં આપી શકાય.
SC to hear after after 2 weeks hearing of a plea after Attorney General KK Venugopal urged the court to refer to 7-judge bench the issue raised in the plea relating to exclusion of creamy layer from Scheduled Caste and Scheduled Tribe community for benefit of reservations. pic.twitter.com/H0OVGEeNdG
આ મુદ્દે જનહિત અરજીઓ પર સુનાવણી કરી રહેલ ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતા વાળી પીઠે કહ્યું કે SC-STની ક્રીમી લેયરને અનામતના લાભથી બહાર રાખવા અથવા ન રાખવાના મુદ્દે બે સપ્તાહ બાદ વિચાર કરવામાં આવશે.
ઉચ્ચ કોર્ટના જરનૈલસિંહ પ્રકરણમાં કહ્યું હતું કે બંધારણીય કોર્ટે અનામત વ્યવસ્થા પર અમલ દરમિયાન સમાનતાના સિદ્ધાંતનો લાગૂ કરીને અનામતના લાભથી આવા સમૂહો અથવા પેટા સમૂહોના સમૃદ્ધ વર્ગને સામેલ નહીં કરીને પોતાના અધિકારક્ષેત્રમાં હશે.