દેશની સર્વોચ્ચ અદાલતમાં 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન 347 ક્ષેત્રોમાં મત ગણતરીમાં કથિત વિસંગતિઓ માટે બે બિનસરકારી સંગઠનની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટીસ પાઠવી છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠ ફેબ્રુઆરી, 2020માં સુનાવણી કરશે.
ફેબ્રુઆરીમાં થશે વધુ સુનાવણી
અરજીમાં મતગણતરીમાં આવતી ભૂલો પર સવાલ કરવામાં આવ્યા
ચૂંટણી પાંચ આંકડાઓમાં ચોકસાઈ આવે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવા માંગ
ચૂંટણી કમીશનનાં આંકડાંઓમાં ખુબ વિસંગતીઓ જોવા મળી
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને કોમન કૉજે પોતાની અરજીમાં ભવિષ્યમાં બધી ચૂંટણીમાં મતગણતરીમાં આવતી વિસંગતીઓની તપાસ કરવા માટે એક ખાસ પ્રક્રિયા તૈયાર કરવા અરજી કરી છે. એડીઆરે પોતાની ટીમનાં શોધનાં આધારે કહ્યું કે 2019માં થયેલી લોકસભા ચૂંટણીમાં મતગણતરીમાં વિભિન્ન બેઠકો પર મતદારોની સંખ્યા અને વોટીંગ દરમાં તથા ગણતરી કરવામાં આવેલ મતોની સંખ્યામાં ચૂંટણી કમીશનનાં આંકડાંઓમાં ખુબ વિસંગતીઓ જોવા મળી હતી.
6 બેઠકો પર વિસંગતીઓ જીતનાં અંતર કરતાં પણ વધુ હતી
અરજીમાં દાવો અક્ર્વામાં આવ્યો છે કે તપાસ દરમિયાન અનેક ફેરબદલ જોવા મળ્યા છે. નોંધનીય છે કે જ્યારે અરજી કરવમાં આવી તેમાં જણાવવામાં આવ્યું છે કે આ વિસંગતીઓ 1 વોટથી લઇ 1 લાખ વોટ સુધીની છે જેનો સીધો અર્થ થાય છે કે આંકડાઓમાં મેળ બેસતો નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 6 બેઠકો પર વિસંગતીઓ જીતનાં અંતર કરતાં પણ વધુ હતી. અરજીમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે કોઈ પણ ચૂંટણીનાં પરિણામનો ઘોષણા કરવામાં આવે તે પહેલાં બધા જ આંકડાંઓ ચોકસાઈપૂર્વક તપાસવા મેટ આદેશ કરવામાં આવે.
સંતોષજનક ચૂંટણી પરિણામ માટે પારદર્શક વ્યવસ્થાની આવશ્યકતા
વધુમાં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણીમાં પવિત્રતા જળવાઈ રહે તે માટે ચૂંટણીનાં પરિણામ એકદમ ચોક્કસ હોવા જોઈએ જેથી કોઈ પણ પ્રકારની વિસંગતીને તેમાં સ્થાન ન હોય. સંતોષજનક ચૂંટણી પરિણામ માટે પારદર્શક વ્યવસ્થાની આવશ્યકતા છે. ચૂંટણી કમીશન દ્વારા ચૂંટણીનાં આંકડાઓ અને મતોની સંખ્યાનાં આંકડાઓનો મેળ બેસાડવા માટે આંકડાઓ પ્રકાશિત કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને ચૂંટણી પચં જે પદ્ધતિથી આંકડાઓ તપાસે છે તે સાર્વજનિક કરવાથી બચી રહી છે.