સુપ્રીમ કોર્ટે ગ્રામીણ ક્ષેત્રમાં સહાય અંગે માહિતી આપવા શુ પ્રક્રિયા હાથ ધરી છે તે અંગે પણ જાણકારી માંગી. તો ગુજરાત સરકારે કહ્યું કે, અમે ઓલ ઇન્ડિયા રેડિયો પર માહિતી આપીએ છીએ.
કોરોનાથી મૃત્યુ સહાય અંગે સુપ્રીમમાં સુનાવણી
ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારની રેવડી 'દાણ-દાણ'
સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી 15 ડીસેમ્બરના રોજ
કોરોના સંક્રમણથી થયેલા મૃત્યુ પર રૂપિયા 50 હજારનું વળતર આપવાના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સરકારને આ કેસ માં લપડાક લગાવી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ કર્યો હતો કે, સહાયતા રકમ ચૂકવવામાં ઝડપ કરવામાં આવે. મહારાષ્ટ્ર સરકારને એક સપ્તાહમાં જ એ તમામને વળતર ચૂકવી દેવા કહેવાયું હતું,જેમની અરજીઓ હજુ પેન્ડીંગ છે. સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે 87 હજાર અરજીઓ આવી છેજેમાંથી 8 હજાર અરજીઓ સ્વીકાર કરી વળતર ચુકવવાની પ્રક્રિયા ચાલુ છે. તો સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે, 87 હજારમાંથી તમે 8 હજારને જ વળતર આપો છો ? સરકારે દાવો કર્યો છે કે, 30 ડીસેમ્બર સુધીમાં અમે 50 હજાર અરજીઓને વળતર ચૂકવી દઈશું.
ગુજરાત સરકારનો અચરજભર્યો જવાબ
સુપ્રીમ કોર્ટે ગ્રામીણ ક્ષેત્રમાં સહાય અંગે માહિતી આપવા શુ પ્રક્રિયા હાથ ધરી છે તે અંગે પણ જાણકારી માંગી હતી ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રોમાં સહાય અંગે કેવી રીતે માહિતી આપી રહ્યા છે તેવા પણ સવાલ કર્યા હતા. જેના જવાબમાં ગુજરાત સરકારે કહ્યું કે, અમે ઓલ ઇન્ડિયા રેડિયો પર માહિતી આપી રહ્યા છીએ. તો સુપ્રીમ કોર્ટે લાગલો સવાલ કર્યો હતો કે, ઓલ ઇન્ડિયા કોણ સાંભળે છે ? કોરોના સહાય અંગે સ્થાનિક સમાચાર પત્રો અને સ્થાનિય ચેનલોમાં કેમ માહિતી નથી અપાઈ રહી ? જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે, અમે આવતીકાલ સુધી માહિતી અંગે સમસ્યાનુ નિકાલ લાવીશુ. આગામી સુનવણી 15 ડિસે, બપોરે 3.30 વાગ્યે હાથ ધરાશે
જસ્ટીસ એમ આર શાહ અને જસ્ટીસ નાગરન્ન ની બેન્ચ આ કેસમાં સુનાવણી કરી રહી છે.ગત સુનાવણીમાં પણ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને કોરોનાના કારણે થયેલા મૃત્યુનાં વળતરમાં ઢીલ માટે ફટકાર લગાવાઈ હતી. કોર્ટે, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સરકારને ફટકાર લગાવી હતી. ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે અસરગ્રસ્ત પરિવારોને કોરોનાથી થયેલા મૃત્યુ માટે 50 હજારના વળતરની માગણીને મંજૂરી આપી હતી