રાફેલ ડીલ મુદ્દે અમિત શાહે મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી. તેમજ સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને અનુસંધાને ટ્વિટ પણ કર્યું. પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે સત્યની હંમેશા જીત થાય છે. સુપ્રીમ કોર્ટનાં ચુકાદાએ કોંગ્રેસ અધ્યક્ષનાં જુઠ્ઠાણાંને ખુલ્લો પાડ્યો. રાજકીય લાભ માટે કોંગ્રેસ અધ્યક્ષે રાફેલને લઇ જુઠ્ઠાણું ફેલાવ્યું. SCએ કહ્યું કે ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં સરકારનો કોઇ જ રોલ નહીં.
સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનો હું સ્વાગત કરું છું. આજે સત્યની જીત થઈ છે. કોંગ્રેસે દેશને ગુમરાહ કર્યો છે. કોંગ્રેસે પક્ષને ફાયદો કરાવવા જૂઠનો સહારો લીધો. એરક્રાફ્ટની જરૂરિયાતને માન્ય કરી છે. સુપ્રીમે કહ્યું છે કે વિમાનની પ્રાઈઝની તપાસ કરી છે. આરોપ લગાવવાવાળાને આ તમાચો છે. કોઈને ફાયદો પહોચાડવાનું તથ્ય સામે નથી આવ્યું.
જે લોકોએ દેશને ગુમરાહ કર્યો તેણે દેશની અને સેનાની માફી માગવી જોઈએ. પ્રક્રિયા ખરંભે ચડાવી દેશની સુરક્ષાને ખતરામાં મુકી. રાહુલ ગાંધીએ સોર્સ શું હતો તે દેશને બતાવવો જોઈએ. 2007થી 2014 સુધી કેમ ડીલ ફાઈનલ ન થઈ. કોંગ્રેસે દેશની માફી માગવી જોઈએ.
કોંગ્રેસે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડીલને કેમ ઉચિત ન માની. સુપ્રીમ કોર્ટે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. કોંગ્રેસની સરકારમાં અનેક કૌભાંડો થયાં છે. બધાં ચોર ભેગાં થઈને ચોકીદાર ચોર-ચોર કહે છે. દેશની જનતા આવી વાત માનવાની જ નથી.
Truth always triumphs! Court’s judgment on the Rafale deal exposes the campaign of misinformation spearheaded by Congress President for political gains. The court didn’t find anything wrong with the process nor did it find any commercial favouritism in the deal. #SCNailsRaGaLies