ગુર્જર અનામત મામલે ગહેલોત સરકારને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુર્જર અનામતને પડકારતી અરજી ફગાવી દીધી છે. અરજીમાં સરકાર દ્વારા ગુર્જર સમાજ સહિત 4 અન્ય સમાજના લોકોને શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત અપવાના નિર્ણયને રોક લગાવવાની માગ કરાઇ છે.
ગુર્જર અનામત મામલે ગહેલોત સરકારને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુર્જર અનામતને પડકારતી અરજી ફગાવી દીધી છે. અરજીમાં સરકાર દ્વારા ગુર્જર સમાજ સહિત 4 અન્ય સમાજના લોકોને શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત અપવાના નિર્ણયને રોક લગાવવાની માગ કરાઇ છે.
જો કે સીજેઆઇ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ગુર્જરો દ્વારા અનામતની માગ કરવામાં આવી રહી હતી. જેને લઇ ઉગ્ર આંદોલન પણ કરાયું હતું.
Supreme Court rejects petition seeking stay on Rajasthan government decision to implement 5 per cent quota reservation to Gujjars and four other communities in educational institutions and government jobs. Bench headed by CJI Ranjan Gogoi refuses to interfere in the issue pic.twitter.com/JvbX2Oklvo
ગુર્જર સમાજના નેતા કિરોરીસિંહ બંસેલા અને તેમના સમર્થકોએ અનેકવાર રેલ સેવાને રોકવામાં આવી હતી અને અનેક જગ્યાએ રસ્તાઓ પણ જામ કરી દેવાયા હતા. ત્યારે ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે ગુર્જર સમાજ સહિત 4 સમાજના લોકોને અનામત આપતું બિલ પસાર કર્યું હતું.
આપને જણાવી દઇએ કે, ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે ગુર્જર સહિત 4 અન્ય સમુદાયના લોકોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત આપવા અંગેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. જો કે, આ તમામ લોકએ છેલ્લા ઘણાં સમયગાળાથી અનામતની માંગણી કરી હતી. ત્યારે આ મામલામાં દેશની વડી અદાલતે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો છે.