સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિના લોકો માટે અનામતની માગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને પક્ષ રજૂ કરવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં ધર્મ પરિવર્તન કરાયેલ SC સમુદાયના લોકોની અરજી પર કેન્દ્રને આદેશ
સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર કેન્દ્ર સરકારનો મત જાણવા માટે 3 અઠવાડીયાનો સમય આપ્યો
આ અંગે કેટલીય અરજીઓ અગાઉથી કોર્ટમાં આવેલી પડી છે
સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિના લોકો માટે અનામતની માગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને પક્ષ રજૂ કરવા કહ્યું છે. પછી ભલે તે ઈસ્લામ, ઈસાઈ, બૌદ્ધ અથવા હિન્દુ ધર્મમાંથી કોઈ અન્ય ધર્મમાં પરિવર્તિત કેમ ન થઈ જાય. જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી પીઠે કેન્દ્રને પક્ષ રજૂ કરવા માટે 3 અઠવાડીયાનો સમય આપ્યો છે. હકીકતમાં ધર્મ પરિવર્તન બાદ ઈસાઈ અથવા ઈસ્લામ ધર્મ અપનાવનારા દલિતો માટે સરકારી નોકરીઓ, શિક્ષણ સંસ્થાઓ અને કલ્યાણકારી યોજનામાં અનામતના લાભના મુદ્દા લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર બનેલો છે.
સુપ્રીમ કોર્ટમાં નેશનલ કાઉન્સિલ ઓફ દલિત ક્રશ્ચિયંસે દલિત ઈસાલઈઓને અનુસૂચિત જાતિઓની યાદીમાં સામેલ કરવાની અપીલ કરી છે. આ અરજી સહિત અન્ય પર પણ કેન્દ્રને ત્રણ અઠવાડીયામાં પક્ષ રજૂ કરવા કહ્યું છે. આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં કેટલાય અરજીઓ આવેલી છે. તેમાં બિન સરકારી સંગઠન સેન્ટર ફોર પબ્લિક ઈંટરેસ્ટ લિટીગેશંસ અને અમુક દલિત ઈસાઈઓની સાથે તેમના ઈસાઈ સંગઠનોની અરજીઓ પણ છે. અરજીમાં સંવિધાનની અનુસૂચિત જાતિ આદેશ 1950ના ત્રીજા પેરેગ્રાફની સંવૈધાનિક વૈધતાને પડકાર આપવામાં આવ્યો છે.
અધિકારોના હનનનો હવાલો આપ્યો
આ અરજીમાં દલીલ આપવામાં આવી છે કે, સંવિધાનની અનૂસૂચિત જાતિ આદેશ 1950ના ત્રીજા પેરેગ્રાફની જોગવાઓ સંવિધાનના અનુચ્છેદ 14,15 અને 25માં આપેલા અધિકારોનું હનન થાય છે. સંવિધાને અનુસૂચિત જાતિ આદેશ 1950ના ત્રીજા પેરેગ્રાફની જોગવાઈ અંતર્ગત હિન્દુ ધર્મ, સિખ ધર્મ અને બૌદ્ધ ધર્મ ઉપરાંત કોઈ અન્ય ધર્મનં પાલન કરનારા અથવા ધર્મ પરિવર્તન કરનારા અનૂસૂચિત જાતિના સભ્ય અનામતથી વંચિત થઈ જાય છે.