સુપ્રીમ કોર્ટે કહ્યું કે પબ્લિક ટ્રાંસપોર્ટેશનના ખાનગી સેક્ટરની સાથે કોમ્પિટિશન કરવી છે તો તેને પોતાની સિસ્ટમ અને કાર્યશૈલી પણ સુધારવાની જરુર છે. કોર્ટે રેલવેએ ટ્રેન મોડી પડવાના એક મામલામાં એક પ્રવાસીને 30 હજાર વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
રેલવે ટ્રેનોમાં મોડુ થવા પર પોતાની જવાબદેહીથી બચી ન શકે- sc
જસ્ટિસ એમ આર શાહ અને અનિરુદ્ધ બોસની બેંચ અનુસાર રેલવે ટ્રેનોમાં મોડુ થવા પર પોતાની જવાબદેહીથી બચી ન શકે. જો રેલવે પ્રવાસીઓને ટ્રેનમાં મોડું થવાનું કારણ જણાવવામાં નિષ્ફળ રહે છે તો પ્રવાસીઓને વળતળ આપવું પડશે.
જવાબદારી લેવી જ પડશે
સુપ્રીમ કોર્ટ અનુસાર પ્રવાસીઓનો સમય કિંમતી છે અને ટ્રેનોમાં મોડું થવા પર કોઈને કોઈને જવાબદારી સ્વીકારવી જ પડશે. કોર્ટ અનુસાર આ પ્રતિસ્પર્ધા અને જવાબદારીનો સમય છે અને જો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ખાનગી ક્ષેત્રની સાથે સ્પર્ધા કરવી છે. તો તેને પોતાની સિસ્ટમ અને કામની પદ્ધતિમાં સુધારો કરવો પડશે. કોર્ટે કહ્યું કે દેશના લોકો પ્રવાસી શાસન, પ્રશાસનની દયા પર નિર્ભર નથી રહી શક્તા. કોઈએ તો તેની જવાબદારી સ્વીકારવી પડશે.
સુપ્રીમ કોર્ટે આ મામલામાં આપ્યા આદેશે
સંજય શુક્લા પોતાના પરિવાર સાથે 11 જૂન 2016માં અજમેર- જમ્મુ એક્સપ્રેસથી પ્રવાસ કરી રહ્યા હતા. ટ્રેનને સવારે 8 વાગીને 10 મિનિટ પર જમ્મુ પહોંચવાનું હતુ પરંતુ તે 12 વાગે પોતાના સ્થાને પહોંચી તેમે બપોરે 12 વાગે ફ્લાઈટથી જમ્મુથી શ્રીનગર જવાનું હતું. આના પર શુક્લા પરિવારની ફ્લાઈટ છુટી ગઈ પરિવારને ટેક્સીથી જમ્મુથી શ્રીનગર જવું પડ્યુ આ માટે તેમને ટેક્સીના 15 હજાર રુપિયા ચૂકવવા પડ્યા. સાથે તેને લોજિંગ માટે 10 હજાર રુપિયા ખર્ચવા પડ્યા.