સુપ્રીમ કોર્ટે શુક્રવારે કડકાઈ વર્તતા દેશ વિરોધી ટ્વીટ અને ફેક ન્યૂઝને લઈને ભાજપ નેતાની અરજી પર કેન્દ્ર, ટ્વિટર અને અન્યને નોટિસ મોકલી છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ટ્વિટર અને અન્યને નોટિસ મોકલી
આ અંગે સરકાર અને ટ્વિટર વચ્ચે ગજાગ્રહ ચાલૂ છે
સરકારે આપી હતી કે કાયદાકીય ચેતવણી
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ટ્વિટર અને અન્યને નોટિસ મોકલી
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભાજપ નેતા વિનીત ગોયનકા તરફથી દાખલ જનહિતની અરજી પર સુનવણી કરતા કહ્યું કે નોટિસ પર નોટિસ મોકલ્યા છે. અરજીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, વિશેષ રુપથી ટ્વિટર પર ભારત- વિરોધી અને દેશદ્રોહી પોસ્ટોની તપાસ કરવા માટે કેન્દ્રીય સરકારને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.
આ અંગે સરકાર અને ટ્વિટર વચ્ચે ગજાગ્રહ ચાલૂ છે
ભારત સરકારે ટ્વિટરના અધિકારીઓની સાથેની બેઠકમાં ખેડૂત આંદોલનના નકલી અને અફવા ફેલાવનારા અકાઉન્ટ્સને બ્લોક કરવાના નિર્દેશ આપ્યા. જેમાં ખાલિસ્તાન અને પાકિસ્તાન સાથે સંબંધિત1178 હેન્ડલ્સને હટાવવા માટે કહ્યું હતું. જોકે આજે ટ્વિટરે જણાવ્યું કે, 500થી વધુ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયા છે. આ અંગે સરકાર અને ટ્વિટર વચ્ચે ગજાગ્રહ ચાલૂ છે.
સરકારે આપી હતી કે કાયદાકીય ચેતવણી
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટરની વિરુદ્ધ કડક વલણ અપનાવતા ગુરુવારે કહ્યું કે ભારતના કાયદાના હિસાબથી ચાલવું પડશે. સોશિયલ મીડિયાથી અફવા ફેલાવવાની પરવાનગી કોઈ ને પણ આપી શકાય નહીં. પ્રસાદે કહ્યું કે આજે આ સદનની ભૂમિથી ચાહે તે ટ્વિટર હોય, ફેસબુક હોય કે તે લિંક્ડ ઈન હોય કે વોટ્સએપ હોય, હું વિનમ્રતાથી આગ્રહ કરીશ કે ભારતમાં કામ કરો. તમારા કરોડો ફોલોઅર્સ છે. અમે તેમનું સન્માન કરીએ છીએ. પૈસા કમાઓ પરંતુ ભારતના સંવિધાનનું પાલન કરવું પડશે. ભારતીય કાયદાનું કોઈ પણ હાલતમાં પાલન કરવું પડશે. એવું ન કરવા પર કાયદેસરની કાર્યવાહી થશે. હિંસા ભડકાવવા અને અફવા ફેલાવવાનો કોઈને અધિકારી નથી.
ટ્વિટરે દબાણમાં આવીને બ્લોક કર્યા અકાઉન્ટ
26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં થયેલી હિંસા બાદથી સોશ્યલ મીડિયા પર કાર્યવાહીના કારણે ભારત સરકાર અને ટ્વિટર કંપની વચ્ચે ગજગ્રાહ જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકાર સતત ટ્વિટર પર કડક વલણ અપનાવી રહી છે અને ભારતના કાયદા અનુસાર ચાલવા નિર્દેશ આપ્યા છે. જોકે હવે એક રીપોર્ટ અનુસાર ટ્વિટરે ભારત સરકારની વાત માની છે અને 97% અકાઉન્ટને સસ્પેન્ડ કર્યા હતા. ખેડૂતોના આંદોલન વચ્ચે ટ્વિટર પર ‘farmers’ genocide’ અને ‘ઉશ્કેરણીજનક કન્ટેન્ટ’ જેવા હેશટેગ અને ખાલિસ્તાન તથા પાકિસ્તાન દ્વારા દૂષપ્રચારના હેતુથી ચલાવવામાં આવેલ કેમ્પેનની સામે સરકારે કાર્યવાહી કરવા માટે ટ્વિટરને આદેશ આપ્યા હતા. ટ્વિટરના સૂત્રો અનુસાર સરકારે કંપનીને 1,435 હેન્ડલ બતાવ્યા હતા જેના પર કાર્યવાહી કરવાની હતી જેમાંથી 1,398 ટ્વિટર હેન્ડલ બ્લોક કરી દેવામાં આવ્યા છે.
ટ્વિટરે આપ્યો હતો આ જવાબ
નોંધનીય છે કે આ પહેલા ટ્વિટરેમાઇક્રોબ્લૉગિંગ સાઇટે બુધવારે એક બ્લૉગ પોસ્ટમાં કહ્યું હતુ કે, નાગરિક સમાજના કાર્યકર્તાઓ, રાજકીય વિશેષજ્ઞો અને મીડિયાના ટ્વિટર હેન્ડલને બ્લૉક નથી કરાયા કારણ કે એવું કરવાથી અભિવ્યક્તિની આઝાદીના મૂળ અધિકારોનું ઉલ્લંઘન થશે.