હાલમાં માનસિક તણાવ અને હતાશા મુદ્દે દેશભરમાં ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. માનસિક સ્વાસ્થ્ય માટે લોકો સલાહો આપી રહ્યા છે ત્યારે માસિક બીમારીઓ પર વીમા આપવા મુદ્દે મામલો સર્વોચ્ચ અદાલતમા પહોંચી ગયો છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે કેન્દ્ર સરકાર અને IRDA ( Insurance Regulatory and Development Authority )ને નોટીસ પાઠવી છે.
કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ
માનસિક બીમારી પર વીમા કેમ નથી આપવામાં આવી રહ્યા
ચાર સપ્તાહમાં જવાબ આપે કેન્દ્ર સરકાર : સર્વોચ્ચ અદાલત
માનસિક રૂપે બીમારી પર વીમા મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવેલ એક જાહેર હિતની અરજી બાદ સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. જસ્ટિસ નરીમનની અધ્યક્ષતા વાળી બેન્ચે વકીલ ગૌરવ કુમાર બંસલની અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર અને IRDA ( Insurance Regulatory and Development Authority )ને નોટીસ પાઠવી અને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને વીમા કંપનીઓનું નિયમ કરતી સંસ્થા IRDAને સવાલ કર્યા છે કે આખરે માસિક રૂપથી બીમાર દર્દીઓને વીમો કેમ નથી આપવામાં આવતો ?
Supreme Court issues notice to the Union of India and Insurance Regulatory and Development Authority after hearing a PIL by lawyer, Gaurav Kumar Bansal, seeking appropriate directions to all insurance companies to extend medical insurance for treatment of mental illness patients pic.twitter.com/7oFUCrsgUP
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં દાખલ એક જાહેરહિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2017 અને 2018માં કાયદામાં સંશોધન કરીને માનસિક બીમારીને વીમાની કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે તેમ છતાં વીમા કંપનીઓ તેનું પાલન કરી રહી નથી. જે બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારીને ચાર સપ્તાહમાં જવાબ માગ્યો છે.
નોંધનીય છે કે રવિવારે જ બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે આપઘાત કરી લેતા તેમણે કેમ આપઘાત કર્યો તેના પર વિવાદ છેડાયો છે. માનસિક સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. સુશાંત સિંહ રાજપૂત બધાને છોડીને જતો રહ્યો પરંતુ પાછળ કેટલાય સવાલ મૂકતો ગયો. સુશાંત સિંહની મોત બાદ માનસિક સ્વાસ્થ્યને લઈને ચર્ચા શરુ થઇ ગઈ છે. સુશાંતની મોત પર વિવિધ મીડિયાના અહેવાલમાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે માનસિક સ્વાસ્થ્યને લઈને સર્વોચ્ચ અદાલત ગંભીર થઇ છે અને જાહેર હિતની અરજી બાદ કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે.