બે સદી જુનો અને ભારતનો બહુચર્ચિત અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે બંને પક્ષોની દલીલ પુર્ણ થઈ છે. સુપ્રીમે કહ્યું છે કે હવે 17મી નવેમ્બર 2019ના દિવસે આનો ચૂકાદો આવશે. સતત 40 દિવસ ચાલેલી દલીલોનો આજે અંત આવ્યો છે. દેશની પ્રજા આ નિર્ણયની કાગડોળે રાહ જોશે.
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલામાં આજે SCમાં સુનાવણી પૂર્ણ થઇ
6 ઓગસ્ટથી શરૂ થયેલી સુનાવણીનો આજે 40મો દિવસ
હિંદુ મહાસભાની છેલ્લી દલીલ થઈ પૂર્ણ
સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદની સૂનાવણી પૂર્ણ થઇ છે. બુધવારે સુનાવણીનો 40મો અને અંતિમ દિવસ હતો. હિન્દૂ પક્ષ તરફથી નિર્મોહી અખાડા, હિન્દૂ મહાસભા, રામજન્મભૂમિ ન્યાસ તરફથી દલીલ રજૂ કરાઇ. જ્યારે મુસ્લિમ પક્ષની તરફથી રાજીવ ધવને પોતાની દલીલો રાખી. સુપ્રીમ કોર્ટે આ મામલામાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. 1949માં પહેલીવાર આ મામલો કોર્ટમાં ગયો હતો. પરંતુ 6 ઓગસ્ટે આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં અંતિમ સુનાવણી શરૂ થઇ જે હવે ખતમ થઇ છે.
હિંદુ અને મુસ્લિમ પક્ષના વકીલોમાં દલીલો
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આ સમયે નિર્ણયના અનુવાદ પર સવાલ કર્યા. તેઓએ કહ્યું કે રામ જન્મભૂમિ પુનરુદ્દાર સમિતિના વકીલ પીએન મિશ્રાના અનુવાદને યોગ્ય ઠેરવ્યું અને એક પેરેગ્રાફ વાંચ્યો. પણ અમે તેમને પહેલાં જ સાંભળી ચૂક્યા છે. બાબર દ્વારા મસ્જિદ નિર્માણને માટે ગ્રાંટ અને દેવું માફ કરવાના દસ્તાવેજ છે. આ માટે જસ્ટિસ ચંદ્રચૂડે કહયું કે ગ્રાંટથી તમારા માલિક હકની પુષ્ટિ કેવી રીતે થાય છે?રાજીવ ધવને કહ્યું કે જમીનદારી અને ફોજદારીના કેસમાં જોઈએ તો જમીન માલિકોને ગ્રાન્ટ મળતી હતી. રાજીવ ધવને કહ્યું કે તેમની દલીલ મૂર્ખતા પૂર્ણ છે. તેમને જમીનની જાણકારી નથી. તેની પર પીએન મિશ્રાએ કહ્યું કે તેમને લેન્ડ લોડ પર બે બુક્સ લખી છે. અને તમે કહો છો મને કાયદાની ખબર નથી. તેની પર રાજીવ ધવને કહ્યું કે તમારી કિતાબોને સલામ છે. તેની પરક પીએચડી કરો.
6 ડિસેમ્બર 1992માં અમારી પ્રોપર્ટી થઈ હતી નષ્ટ
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે હિંદુ પક્ષકારોએ કુરાનના આધારે જે દલીલો કરવામાં આવી તે આધાર હીન છે. રાજીવ ધવને કહ્યું કે અમે પોતાની જમીન પર હક મેળવવા ઈચ્છીએ છીએ. તેઓએ કહ્યું કે જે વાત કાગળ પર થઈ રહી હતી, તેના ચાર અર્થ છે. પહેલો ઉર્દૂ, પછી હિંદી જે જિલાની તરફથી થયો. ફરી એક હિંગી જે હાઈકોર્ટ જસ્ટિસ અગ્રવાલની તરફથી થયો. તેઓએ કહ્યું કે 2017માં ચોથું ટ્રાન્સલેશન થયું. હિંદુ પક્ષના વિશે રાજીવ ધવને કહ્યું કે તમે નવેમ્બર સુધી શું કરી રહ્યા હતા. અમે કોર્ટના કહેવા પ્રમાણે ટ્રાન્સલેશન કર્યું હતું અને કોર્ટમાં જમા કર્યું હતું. આ માટે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે તેની પર તકલીફ એ છે કે આ ટ્રાન્સલેશનમાં કેટલાક એવા શબ્દો છે જે તેના સાચા અર્થમાં નથી. રાજીવ ધવને કહ્યું કે એવું નથી બાબરને બાદશાહ જ કહેવામાં આવે છે. મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું કે 6 ડિસેમ્બર 1992એ જે નષ્ટ થયું તે અમારી પ્રોપર્ટી હતી. વક્ફ સંપત્તિના મતવલ્લી જ તેની દેખરેખ માટે જવાબદાર હોય છે અને બોર્ડ તેને નિયુક્ત કરે છે. રાજીવ ધવને કહ્યું કે અયોધ્યાને અવધ કે ઔધ લખવામાં આવ્યું છે. તેની તપાસ સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેના જવાબમાં જસિટ્સ ચંદ્રચૂડે કહ્યું કે જો અમે તમારા આધારને જોઈએ તો આ ઓનરશીપના કાગળ બતાવતા નથી.
નક્શો ફાડવાની વાત થઈ વાયરલ
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું તે વાયરલ થયું. તેઓએ કહ્યું કે મેં કોર્ટમાં નક્શો ફાડ્યો. આ મેં કોર્ટના આદેશ પર કર્યું છે. મેં કહ્યું હતું કે હું તેને ફેંકવા ઈચ્છું છું પણ ચીફ જસ્ટિસે કહ્યું કે તમે તેને ફાડી પણ શકો છો. આ બાબતે ચીફ જસ્ટિસે કહ્યું કે અમે કહ્યું હતું કે તમે ફાડવા ઈચ્છો તો ફાડી શકો છો.
મુસ્લિમ પક્ષે શરૂ કરી દલીલ
બપોરે અઢી વાગે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને દલીલ શરૂ કરી. તેઓને બોલવા માટે દોઢ કલાકનો સમય આપવામાં આવ્યો હતો. રાજીવ ધવને કહ્યું કે ધર્મદાસે ફક્ત સાબિત કર્યું કે તે પૂજારી છે નહીં કે ગુરુ, આ સિવાય હિન્દુ મહાસભાની તરફથી સરદાર રવિરંજન સિંહ, અન્ય વિકાસ સિંહ, ત્રીજા સતીજા અને ચોથા હરિ શંકર જૈનના સબૂત આપવામાં આવ્યા હતા. રાજીવ ધવને કહ્યું કે તેનો અર્થ છે મહાસભા 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. શું મહાસભા તેને સપોર્ટ કરે છે? આ સિવાય તેઓએ રંજીત કુમારને જવાબ આપતા કહ્યું કે તેઓએ પાર્ટી ન બનવા અંગે સવાલો કર્યા, પણ શું આપણે કોઈ પાર્ટી બનાવશું?
પીએન મિશ્રાએ મૂકી આ દલીલ
પીએન મિશ્રાએ સુનાવણીમાં ટ્રેફન થેલર અને નિકોલો મનુચી જેવા 16મી સદીમાં આવેલા વિદેશી યાત્રીઓના વૃત્તાંતનો ઉલ્લેખ કર્યો. જેમાં મંદિરનો ઉલ્લેખ છે પણ મસ્જિદનો નહીં. બ્રિટિશ ગજેટિયરમાં પણ રામમંદિરનો ઉલ્લેખ છે. આ સમયે જસ્ટિસ બોબડેએ ક્રોનોલોજી બતાવતા કહ્યું કે જસ્ટિસ ચંદ્રચૂડે લિમિટેશનનો સવાલ ઉઠાવ્યો. પીએન મિશ્રાએ કહ્યું કે 1934માં અમારા પૂજાના અધિકાર પર પહેલાં પ્રશ્નો કરાયા હતા.
સુબ્રમણ્યમ સ્વામીને સાંભળવાની કરી મનાઈ
લંચ બાદ સુપ્રીમ કોર્ટે બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને સાંભવવાની મનાઈ કરી. કોર્ટે કહ્યું કે અમે એ કાલે જ કહ્યું હતું તે કોઈ અન્યને નહીં સાંભળીએ. હરિ શંકર જૈને કહ્યું કે લેખિત અરજી દાખલ કરીશું. કોર્ટે કહ્યું કે સ્વામીએ પૂજાના અધિકારની અપીલથી અલગ છે.
ફ્કત 3 દલીલોને સાંભળશે અદાલત
લંચ બાદ ફરીથી કેસની સુનાવણી કરનારી બેઠકે કહી દીધું કે પીએન મિશ્રાને સાંભળવામાં આવશે. પછી મુસ્લિમ પક્ષ અને ફરી મોલ્ડિંગ ઇફી રિલિફ પર હિન્દુ મહાસભાની તરફથી હરિશંકર જૈન દલીલ કરી. સીજેઆઈએ કહ્યું કે અમે હરિશંકર જૈન, પીએન મિશ્રા અને રાજીવ ધવનને સાંભળીશું.
બુદ્ધિસ્ટ સભાની દલીલ સાંભળવાનો કરી મનાઈ
લંચ બાદ સુપ્રીમ કોર્ટમાં બુદ્ધિસ્ટ સભાની તરફથી વકીલ રણજીત થોમસે દલીલની કોશિશ કરી. કોર્ટે સાંભળવાની મનાઈ કરી અને કહ્યું કે અમે તમને ડીટેન કરી દીધા છે. એટલે કે તમે આ કેસમાં સિવિલ અપીલ દાખલ કરી શકશો નહીં. તેને કોઈ પણ મુદ્દે સાંભળવામાં આવશે નહીં.
નિર્મોહી અખાડાની દલીલ થઈ પૂરી, અદાલતમાં થયું લંચ
નિર્મોહી અખાડાની તરફથી સુશીલ જૈને કહ્યું કે અમારો દાવો મંદિરની ભૂમિ, સ્થાઈ સંપત્તિ પર માલિકી અધિકારનો અધિકાર છે. મુસ્લિમ પક્ષકારોના આ દાવામાં પણ દમ નથી. 22-23 ડિસેમ્બર 1949ની રાતે વૈરાગી સાધુ જબરદસ્તી બિલ્ડિંગમાં ઘૂસીને દેવતાને મૂકી ગયા હતા. તેઓએ કહ્યું કે એ શક્ય નથી કે મુસલમાનો હોવા છતાં તેઓ સરળતાથી અંદર ઘૂસી ગયા. જ્યારે 23 શુક્રવાર હતો. સાથે જ નિર્મોહી અખાડાની દલીલ પૂરી થઈ.
ત્યારબાદ શિયા વર્ફ બોર્ડની તરફથી દલીલ શરૂ થઈ, શિયા બોર્ડની તરફથી કહેવામાં આવ્યું કે અમારો વિવાદ શિયા વિરુદ્ધ સુન્ની બોર્ડને લઈને છે. તેની પર સુન્નીઓનો દાવો નથી, શિયા વક્ફ બોર્ડની તરફથી એમસી ઘીંગડાએ કહ્યું કે ત્યાં શિયા મસ્જિદ હતી. 1966માં આવેલા નિર્ણયથી અમને બેદખલ કરવામાં આવ્યા હતા. 1946માં બે જજમેન્ટ આવ્યા હતા. એક અમારા પક્ષમાં હતું અને બીજું સુન્નીના પક્ષમાં, 20 વર્ષ પછી 1966માં કોર્ટમાં અમારો દાવો મુલતવી રાખવામાં આવ્યો હતો. તેની સાથે જ અદાલત લંચ માટે ઊભી થઈ હતી. લંચ બાદ 45 મિનિટ પીએન મિશ્રાને અને ત્યારબાદ દોઢ કલાક મુસ્લિમ પક્ષકારોને આપવામાં આવશે.
નિર્મોહી અખાડાએ રામજન્મભૂમિ ન્યાસનો કર્યો વિરોધ
નિર્મોહી અખાડાની તરફથી સુશીલ જૈને કહ્યું કે તેઓએ 1961નો એક નક્શો દેખાડ્યો હતો જે ખોટો હતો. તેઓએ કોઈ સબૂત વિના સૂટ ફાઈલ કરી. ત્યાંનું બિલ્ડિંગ પહેલાંથી મંદિર જ હતું. એવું કોઈ સબૂત નથી કે મસ્જિદ બાબરે બનાવી હતી. નિર્મોહી અખાડાએ રામજન્મભૂમિ ન્યાસની દલીલનો વિરોધ કર્યો અને કહ્યું કે તેઓએ આવું શા માટે કહ્યું કે બાબરે મંદિર પાડી દીધું અને મસ્જિદ બનાવી. અમે હંમેશા કહ્યું છે કે એ મંદિર જ હતું. અમે ક્યારેય મુસ્લિમોને જમીનનો હક આપ્યો જ નથી. તેની પર જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે જે સૂટ નક્કી કરાયો છે તે ટાઈટલનો છે તેમાં એક્સેસની કોઈ વાત નથી.
મુસ્લિમ પક્ષ પોતાનો દાવો સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યું: નિર્મોહી અખાડો
સુપ્રીમ કોર્ટમાં હિંદુ મહાસભાના વકીલ વિકાસે કહ્યું કે અદાલતમાં ડોક્યૂમેન્ટના આધારે વાત કરવામાં આવી હતી. જે જમીન પર દલીલ થઈ ત્યાં જન્મસ્થાન છે. તેઓએ આ દરમિયાન અન્ય મંદિરોનો ઉલ્લેખ પણ કર્યો છે. સાથે હિંદુ મહાસભાની દલીલો પણ પૂર્ણ થઈ છે. હવે નિર્મોહી અખાડાની તરફથી સુશીલ જૈન પોતાની દલીલ રાખી રહ્યા છે. ચીફ જસ્ટિસે કહ્યું કે અમારો સમય ખરાબ ન કરો. આગળની દલીલો શરૂ કરો. નિર્મોહી અખાડાએ કહ્યું કે મુસ્લિમ પક્ષ પોતાનો દાવો સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. સાબિત તેઓએ કરવાનું છે, અમારે નહીં.
વકીલોની દલીલોને કારણે ગુસ્સે થયા CJI
વકીલોની સતત ચાલી રહેલી દલીલોને કારણે ચીફ જસ્ટિસ ગુસ્સે થયા હતા. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુનાવણી સમયે કહ્યું કે અમારી તરફથી બંને પક્ષની દલીલો પૂરી થઈ ચૂકી છે. માટે અમે ફક્ત એટલા માટે આ સાંભળી રહ્યા છીએ કે કોઈ કંઈ કહેવા ઇચછતું હોય તો કહી દે. અમે હાલ જ ઉઠીને જઈ પણ શકીએ છીએ.
Ayodhya Ram Temple-Babri Masjid land case: The lawyer of All India Hindu Mahasabha says, with great respect to the Court, I have not disturbed the decorum of the Court. https://t.co/7nUT7tKowO
40મા દિવસની સુનાવણીમાં હિંદુ મહાસભાના વકીલે અયોધ્યાથી સંબંધિત એક નક્શો દેખાડ્યો. તે નક્શો ઓક્સફર્ડની એક બુકનો ભાગ હતો. આ નક્શાને મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ફાડી દીધો. મળતી માહિતિ મુજબ તેઓએ તે નક્શાના 5 ટુકડા કર્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં શરૂ થઈ હિંદુ મહાસભાની છેલ્લી દલીલ, મુસ્લિમ પક્ષના વકીલે બુક ફાડી, CJIએ ગણાવ્યું અયોગ્ય વર્તન
સુપ્રીમ કોર્ટમાં ઓલ ઈન્ડિયા હિંદુ મહાસભાની તરફથી વિકાસ સિંહે એડિશનલ ડોક્યૂમેન્ટના આઘારે પૂર્વ આઈપીએસ કિશોર કુણાલની તરફથી એક બુક બેંચને આપવામાં આવી. તેની પર મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ કહ્યું કે તેને ઓન રેકોર્ડ લેવામાં ન આવે. આ નવી ચીજ છે. કોર્ટ તેને પાછી આપે. આ બાબતે અદાલતે કહ્યું કે આ બુક તેઓ પછી વાંચશે અને આ સાથે સાથે બુક પાછી આપી દેવામાં આવી હતી.
હિંદુ મહાસભાની તરફથી વિકાસ સિંહે હવે દલીલ શરૂ કરી છે. જ્યારે વિકાસ સિંહે બુક આપી તો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે શું તેઓ તેને રાખી શકે છે. હું આ બુક પાછળથી વાંચીશ. રાજીવ ધવનના વિરોધ પર હિંદુ મહાસભાના વકીલ વિકાસ સિંહે કહ્યું કે કોર્ટને કોઈ નવા કાગળ લાવવાની મનાઈ કરી છે. પણ પાર્ટી કોઈ સાબિતી કે બુક આપી શકે છે. સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલે વિરોધ કર્યો અને હિંદુ પક્ષે આપેલો નક્શો ફાડી નાંખ્યો. આ સમયે CJIએ કહ્યું કે આ વ્યવહાર યોગ્ય નથી. આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
જયદીપ ગુપ્તાની દલીલ પૂર્ણ થઈ
નિર્વાણી અખાડાની તરફથી કહેવાયું છે કે રામલલા જન્મસ્થાનની સેવાનો અધિકાર તેમનું છે. તેની પર જસ્ટિસ ભૂષણે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે નિર્મોહી અખાડાને સેવા કરવા માટે રાખ્યું છે. તેની પર જયદીપ ગુપ્તાએ કહ્યું કે તે દાવો ખોટો છે. આ સાથે જયદીપ ગુપ્તાની દલીલ પૂર્ણ થઈ ચૂકી છે.
નિર્વાણી અખાડાની તરફથી ધર્મદાસના વકીલની દલીલ
ધર્મદાસની તરફથી વકીલ જયદીપ ગુપ્તાએ કહ્યું કે ટાઈટલ પર અમારો વિવાદ નથી. હિંદુઓને જો રામલલાનો અધિકાર મળશે તેનો ફાયદો અમને જ મળશે. અમે અલગ છીએ. ધર્મદાસની તરફથી કહેવામાં આવ્યું છે કે અમે તો એકલા દાવેદાર છીએ. જ્યારે અહીં રિસીવર નક્કી કરવામાં આવ્યા ત્યારે અમારા અખાડા જ સેવા, શોભાયાત્રા અને ઉત્સવનું આયોજન અને દેખરેખ કરતા જ્યારે પછી અમને દૂર કરી દેવામાં આવ્યા હતા.
ગોપાલસિંહ વિશારદે શરૂ કરી દલીલ
ગોપાલસિંહ વિશારદની તરફથી રંજીત કુમારે કહ્યું કે હિંદુઓની તરફથી પૂજાનો અધિકાર પહેલાં માંગવામાં આવ્યો હતો. પરંતુ મુસ્લિમ રૂલમાં હિંદુઓને પૂજાના અધિકાર મળવામાં મુશ્કેલી આવી હતી. જો કે જ્યારે બ્રિટિશ રૂલ આવ્યો તો તેમાં થોડી રાહત મળી હતી. ગોપાલસિંહે 2 મિનિટમાં દલીલ પૂરી કરી. હવે નિર્વાણી અખાડા અને મહંત ધર્મદાસની તરફથી દલીલ કરવામાં આવી. સાથે તેમને પણ 2 મિનિટનો સમય મળ્યો. નિર્વાણ અખાડા તરફથી જયદીપ ગુપ્તા પક્ષ રજૂ કર્યો.
રામલલા વિરાજમાનની દલીલ થઈ પૂર્ણ
રામલલા વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથને કહ્યું કે જ્યાં સુધી જમીન પર હક ના હોય તો મસ્જિદ બનાવી શકાતી ન હતી. આ સાથે જ રામલલા વિરાજમાનની દલીલોનો સમય પૂરો થયો. ગોપાલસિંહ વિશારદની તરફથી રંજિત કુમાર દલીલ કરી.
અવૈદ્ય નિર્માણ થયું હતું તે જમીન માંગી રહ્યા છીએ: વૈદ્યનાથન
સુપ્રીમ કોર્ટમાં હિંદુ પક્ષના વકીલે કહ્યું કે તેઓએ અમારી પર વર્ચસ્વ જમાવવાની વાત કરી, પણ અમે તેવું કર્યું નહીં. અમે જે માંગી રહ્યા છીએ તે બાબરની મદદથી અવૈદ્ય નિર્માણ થયું હતું તે જમીન માંગી રહ્યા છીએ. તેની પર વિરોધ પક્ષે કહ્યું કે વક્ફ બોર્ડની જમીન પર હકના દાવા પર તમે શું કહેશો. ત્યારે વૈદ્યનાથને કહ્યું કે આ લોકો મંદિરના દાવાને નકારી રહ્યા છે. પણ જ્યારે ત્યાં પહેલાંથી જ મંદિર હતુ તો આવું કઈ રીતે કહી શકાય?
1949થી નથી પઢવામાં આવી નમાજ
હિંદુ પક્ષકાર સીએસ વૈદ્યનાથને કહ્યું કે આ વાતનું પ્રમાણ છે કે 16 ડિસેમ્બર 1949 પછી વિવાદિત સ્થળ પર કોઈ નમાજ અદા કરવામાં આવી નથી. 22/23 ડિસેમ્બરની રાતથી રામલલા અહીં વિરાજમાન હતા. 23 ડિસેમ્બર 1949ના શુક્રવાર હતો. પરંતુ મૂર્તિ હોવાના કારણે અહીં કોઈ નમાજ પઢવા જતું ન હતું. રામલલા વિરાજમાનની તરફથી સીએસ વૈદ્યનાથને કહ્યું કે મુસ્લિમ પક્ષની પાસે કોઈ સબૂત નથી કે તેઓ સાબિત કરી શકે કે આ જમીન પર તેમનો હક છે. મુસ્લિમ પક્ષે દાવો કર્યો કે અહીં 22-23 ડિસેમ્બરે નમાજ થઈ હતી પણ 1934 સુધી શુક્રવારની જ નમાજ થતી હતી.
ચીફ જસ્ટિસે નક્કી કરી ડેડ લાઈન
અયોધ્યા કેસમાં સીજેઆઈ રંજન ગોગોઈએ ચર્ચાઓ કરવા માટેનો સમય 5 વાગ્યા સુધીનો રાખ્યો.
બ્રિટિશોની રેલિંગ બાદ પણ હિંદુઓ સતત પૂજા કરી રહ્યા છે
સુપ્રીમ કોર્ટમાં હિંદુ પક્ષકારના વકીલ સીએસ વૈદ્યનાથને કહ્યું કે 1885 સુધી હિંદુ મુસ્લિમ તે જમીન પર પૂજાનો દાવો કરતા હતા. પછી બ્રિટિશ સરકારે અહીં રેલિંગ કરાવી દીધી. મુસ્લિમ પક્ષ બહાર અને આંતરિક મુદ્રે વિવાદ કરી રહ્યા છે, એ નાની જગ્યાને વહેંચવા ઈચ્છે છે. વકીલે કહ્યું કે બ્રિટિશોની રેલિંગ બાદ પણ હિંદુઓ સતત પૂજા કરી રહ્યા છે. પછી મુગલોએ જબરદસ્તી મસ્જિદ બનાવી દીધી. તેની પર જસ્ટિસ ચંદ્રચૂડે પૂછ્યું કે રેલિંગને લઈને તમારી સ્થિતિ શું છે.
આજે જ પૂરી થશે સુનાવણી: CJI
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી શરૂ થઈ. દરેક પક્ષકારોએ પોતાની તરફથી લેખિત બયાન આપ્યું. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે સાંજે 5 વાગ્યા સુધી આ કેસની સુનાવણી પૂરી થશે. અને અહીં કાર્યવાહીનો અંત આવશે.
SCનો દરેક નિર્ણય સ્વીકારીશુંઃ ઈકબાલ અંસારી
આ કેસમાં પક્ષકાર ઈકબાલ અંસારીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ કેસમાં જે નિર્ણય કરશે તે માન્ય હશે. તેઓએ અપીલ કરતાં કહ્યું કે નિર્ણય જેના પણ પક્ષમાં આવે તેને માનવાનો રહેશે. લોકો શાંતિથી સુપ્રીમ કોર્ટનો નિર્ણયનો સ્વીકાર કરે. અમે હંમેશા દેશનો વિકાસ ઈચ્છીએ છીએ.
બાબરની ભૂલ સુધારવાની જરૂર છે
અગાઉ, સુપ્રીમ કોર્ટમાં 39મા દિવસે અયોધ્યા જમીન વિવાદની સુનાવણી દરમિયાન, હિન્દુ પક્ષે કહ્યું છે કે વર્ષ 1526માં મંદિરને તોડી પાડીને મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. આમ કરીને બાબરે પોતાને બધા નિયમો અને નિયમોથી ઉપર રાખ્યો. તેના કૃત્યને કાયદો ન કહી શકાય. બાબરે જે ઐતિહાસિક ભૂલ કરી છે તેને સુધારવાની જરૂર છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠના વલણ સાથે, દાયકાઓ જુના આ કેસની સુનાવણી બુધવારે પૂર્ણ થઈ શકે છે અને ચુકાદો સુરક્ષિત રાખવામાં આવે તેવી સંભાવના છે.
હિંદુ પક્ષના વકીલે કરી CJIને આ દલીલ
CJIની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યોની બંધારણ ખંડપીઠ સમક્ષ હિન્દુ પક્ષ તરફથી હાજર રહેલા પૂર્વ એટર્ની જનરલ અને વરિષ્ઠ એડવોકેટ કે. પરાશરને કહ્યું કે બાબર રાજા નહીં પણ આક્રમણકાર હતો. બંને વચ્ચે તફાવત છે. આક્રમણ કરનારને ભારતનો સુવર્ણ ઇતિહાસ ખતમ કરવાની મંજૂરી આપી શકાતી નથી. અદાલત પાસે ઐતિહાસિક ભૂલ સુધારવાની તક છે કારણ કે અયોધ્યામાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. પરાશરને કહ્યું, "વિદેશી આક્રમણ કરનાર ભારત આવીને દાવો કરી શકતો નથી કે હું 'બાદશાહ બાબર' છું અને મારો આદેશ કાયદો છે." જ્યારે હિન્દુઓ ખૂબ શક્તિશાળી શાસકો ધરાવતા હતા ત્યારે ભારતની બહાર જોડાવા ગયા હતા તેવું ઉદાહરણ નથી.
અયોધ્યા કેસની સુનાવણી અંતિમ તબક્કે પહોંચતાં જિલ્લામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 13 ઓક્ટોબરથી કલમ 144 લાગુ થઈ છે જે 10 ડિસેમ્બર સુધી રહેશે. એવી શક્યતા છે કે આવતા મહિને આ મામલે કોઈ નિર્ણય આવે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે શાંતિ અને વ્યવસ્થા જાળવવા જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
શું છે મોલ્ડિંગ ઓફ રીલિફ?
બંને પક્ષની અપીલ દરમ્યાન કરવામાં આવેલી આજીજી અને તેની સંભાવનાની પાછળ અને આગળ થોડો અવકાશ બનાવે છે. આ કિસ્સામાં રાહતનાં મોલ્ડિંગ ઓફ રીલિફ સિદ્ધાંતને કેટલી હદ સુધી લાગુ કરવામાં આવી શકે છે તે પણ ચર્ચાનો વિષય બની શકે છે.