શું વીમા કંપનીઓ ચોરી થયાની જાણ કરવામાં વિલંબના આધારે કોઈને દાવો નકારી શકે છે? આ મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો.
ક્લેમ રિજેક્શન મામલે SCનો મહત્વનો ચુકાદો
વીમા કંપનીએ નકારી કાઢ્યો હતો દાવો
સૂચના મોડી આપ્યાનો આધાર આપી ક્લેમ હતો કર્યો રદ
વાહન ચોરી થયાની જાણકારી આપવામાં મોડુ થાય તો શું વીમા કંપની ક્લેમ આપવાની ના પાડી શકે છે ખરા ? આ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. જો કોઇના વાહનની ચોરી થઇ હોય અને ચોરીનો રિપોર્ટ દાખલ કરાવવામાં સમય લાગે તો કોઇ પણ વીમા કંપની મોડી જાણકારી આપાવો આધાર રજૂ કરીને ક્લેમ રિજેક્ટ કરી શકે નહી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ નિર્ણય સંભળાવ્યો હતો.
વીમા કંપનીએ દાવો નકારી કાઢ્યો
સુપ્રીમ કોર્ટનો આ મહત્વનો નિર્ણય એક એવી કંપનીની અપીલ પર આવ્યો જેની વીમાવાળી ટ્રક 4 નવેમ્બર, 2007ના રોજ લૂંટાઈ હતી. કંપની વતી બીજા દિવસે પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ ટ્રક રીકવર થઈ શકી ન હતી.
માહિતી આપવામાં વિલંબને આધાર બનાવવામાં આવ્યો હતો
ત્યારપછી, ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે આ આધાર પર વીમાનો દાવો નકારી કાઢ્યો કે ટ્રક ચોરીની ઘટના એક દિવસ પછી નોંધાઈ હતી.
કંપનીએ NCDRCમાં કેસ પણ જીત્યો હતો
પીડિત કંપનીએ તેની સામે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (NCDRC)માં કેસ દાખલ કર્યો હતો પરંતુ વીમા કંપની ત્યાં કેસ જીતી ગઈ હતી. આ અંગે વાંધો નોંધાવતા કંપનીએ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
SCએ વીમા કંપનીના નિર્ણયને ખોટો ગણાવ્યો
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે શુક્રવારે ચુકાદો આપતાં NCDRCના નિર્ણયને બાજુ પર રાખ્યો હતો. કોર્ટે કહ્યું કે જો કેસમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હોય તો જ માહિતી આપવામાં વિલંબના આધારે કોઈ દાવો નકારી શકાય નહીં. જસ્ટિસ ત્રિવેદીએ ખંડપીઠ વતી નિર્ણય લખ્યો હતો.