દિલ્હીમાં નિર્ધારિત નગર નિગમની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ દાખલ કરેલી અરજી સુપ્રીમ કોર્ટમાં સ્વિકાર્ય થઈ છે અને કોર્ટ આ મામલે સુનાવણી કરવા માટે રાજી થઈ છે.
સુપ્રીમ કોર્ટ તરફથી આમ આદમી પાર્ટીની અરજી પર સુનાવણી થશે
દિલ્હી એમસીડીની ચૂંટણી નિર્ધારિત સમયે કરવાની માગવાળી અરજી દાખલ કરી હતી
માર્ચમાં નિર્ધારિત ચૂંટણીને રાજ્ય ચૂંટણી પંચ તરફથી ટાળી દેવામાં આવી હતી
દિલ્હી નગર નિગમ ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. માર્ચમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દિલ્હી નગર નિગમની ચૂંટણી નિશ્ચિત કાર્યક્રમ અંતર્ગત કરાવાની માગ કરવામાં આવી છે. દિલ્હીની નગર નિગમના કાર્યકાળની સમાપ્તિ મે 2022થી પહેલા રાજ્ય ચૂંટણી પંચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્રમાં શરૂઆતમાં નિર્ધારિત કાર્યક્રમ અનુસાર દિલ્હીમાં નગર નિગમની ચૂંટણી કરાવાનો નિર્દેશ આપવાની માગ કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, એમસીડી અને ચૂંટણી પંચને નોટિસ મોકલી ચાર અઠવાડીયામાં જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યા છે.
Supreme Court issues notice on a plea of AAP seeking directions to the State Election Commission to conduct Municipal Elections in Delhi in a free, fair, and expeditious manner, without any interference from the Central government. SC posts the matter for hearing on August 26. pic.twitter.com/vqYw8S5PXw
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, શું રાજ્ય ચૂંટણી પંચને કેન્દ્ર સરકાર દ્વારા નગર નિગમ ચૂંટણીને સ્થગિત કરવા માટે મોકલવામાં આવેલા એક અનૌપચારિક સંચારથી પ્રભાવિત કરી શકાય છે. આ અગાઉ પંચ આચાર સંહિતા લગાવવા માટે તૈયાર હતું. અરજીમાં કહેવાયુ છે કે, રાજ્ય ચૂંટણી પર ભારત સરકારનો પ્રભાવ છે અને નગર નિગમ ચૂંટણીના સંચાલનમાં તેનો મોટા પાયે હસ્તક્ષેપ છે. આપે અરજીમાં તર્ક આપ્યો છે કે, રાજ્ય ચૂંટણી પંચ દિલ્હી નગર નિગમ ચૂંટણીની તૈયારી કરી રહ્યું હતું અને કેટલીય નોટિસ, નોટિફિકેશન અને આદેશના માધ્યમથી સંકેતો આપ્યા કે, ચૂંટણી એપ્રિલ 2022માં આયોજીત થશે. પણ 9 માર્ચ 2022ના પ્રેસ કોન્ફ્રેંસ પહેલા એક પત્ર જાહેર કરીને ચૂંટણી પંચે ઘોષણા ટાળી દીધી હતી.
સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
રાષ્ટ્રીય રાજધાનીમાં વોર્ડના પરિસીમનના આધાર પર દિલ્હી એમસીડીની ચૂંટણી સ્થગિત કરવાને લઈને પડકાર આપતી આમ આદમી પાર્ટીએ અરજી દાખલ કરી હતી. જેના પર કોર્ટ સુનાવણી માટે આજે તૈયાર થયું હતું. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા, ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની પીઠે આપના વકીલની અરજીને ધ્યાનમાં લીધી અને ત્રણેય એમસીડીનું એકીકરણ અને બાદમાં પરિસીમનની કવાયત નિગમ ચૂંટણીને સ્થગિત કરવા માટે ઠોસ આધાર હોઈ શકે નહીં.