તબલિગી જમાતીઓની ગતિવિધિઓમાં કથિત રીતે સામેલ હોવાના કારણે બ્લેક લિસ્ટ કરાયેલા 2500 વિદેશી નાગરિક હાલ પોતાના દેશમાં પરત નહીં જઈ શકે.. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જાણકારી આપતા કહ્યું કે જ્યાં સુધી કોર્ટમાં જમાતીઓ વિરુદ્ધ સુનાવણી ચાલી રહી છે ત્યાં સુધી વિદેશી જમાતીઓ તેમના દેશમાં પરત નહીં જઈ શકે.
તબલિગી જમાતમાં સામેલ બ્લેક લિસ્ટ જમાતી નહીં જઈ શકે તેમના દેશ
2500 વિદેશી નાગરિક પોતાના દેશમાં પરત નહીં જઈ શકે
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં તબલિગી જમાતીઓ પર રજૂ કર્યો જવાબ
ઉલ્લેખનીય છે કે, આ મામલે સુપ્રીમ કોર્ટમાં જમાતીઓએ અરજી કરી હતી. જે મામલે હવે 10 જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે. કેન્દ્રએ કોર્ટને જણાવ્યું કે રાજ્ય સરકારો અને પોલીસના આદેશનું ઉલ્લંઘન કરવા પર હજારો જમાતીઓ વિરુદ્ધ વિવિધ રાજ્યમાં કેસ દાખલ થયા છે.
હજારો જમાતીઓને બ્લેકલિસ્ટ કર્યા
જેની સુનાવણી કોર્ટમાં થવાની બાકી છે. કેન્દ્ર સરકારે હજારો જમાતીઓને બ્લેકલિસ્ટ કર્યા છે. અને તેના વિઝા પણ રદ્દ કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે 2679 જમાતીઓના વિઝા રદ્દ કર્યા છે.
205 જમાતી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ
આપને જણાવી દઇએ કે, 2765 જમાતીઓને બ્લેક લિસ્ટ જાહેર કર્યા છે. 205 જમાતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. જ્યારે 1905 ફરાર જમાતી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.