ઓડિશામાં જગન્નાથ મંદિરની આજૂબાજૂ રાજ્ય સરકારે પુરી હેરીટેજ કોરિડોરનું નિર્માણ કાર્યને શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટમાંથી લીલીઝંડી આપી દીધી હતી.
જગન્નાથ પુરી હેરીટેજ કોરિડોર કેસમાં સુનાવણી
કોર્ટે વિકાસ કાર્યમાં બાધા પહોંચાડતી અરજીઓ ફગાવી દીધી
અરજીકરનારા પર એક-એક લાખનો દંડ પણ ફટકાર્યો
ઓડિશામાં જગન્નાથ મંદિરની આજૂબાજૂ રાજ્ય સરકારે પુરી હેરીટેજ કોરિડોરનું નિર્માણ કાર્યને શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટમાંથી લીલીઝંડી આપી દીધી હતી. સાથે જ નિર્માણ કાર્ય વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓ ફગાવી દેતા કોર્ટે અરજીકર્તાઓ પર એક એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે, અરજીમાં કોઈ મેરિટ નથી. શ્રાઈનમાં આવતા લોકોના ફાયદા માટે આ નિર્માણ કાર્ય જરૂરી હતું. આ નિર્માણ કોર્ટના ત્રણ જજોના નિર્ણય અનુરૂપ છે અને મોટા જાહેરાતહીત માટે છે. આપને જણાવી દઈએ કે, ગુરૂવારે જ આ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ મામલે ચિંતા વ્યક્ત કરી
આપને જણાવી દઈએ કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું હતું કે, મંદિરની આજૂબાજૂ પુરી હેરીટેજ કોરિડોરના નિર્માણને લીલીઝંડી આપવી કે નહીં. જસ્ટિસ બીઆર ગવાઈ અને જસ્ટિસ હિમા કોહલીની બેંચે નિર્ણય સંભળાવ્યો હતો. સાથે જ કોર્ટે જાહેરહીતની શાખને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. બંને જસ્ટિસે કહ્યું કે ,આ અરજી પર જલ્દી સુનાવણી માટે આટલો હોબાળો થયો. એવો માહોલ બનાવામાં આવ્યો કે, વાત ન સાંભળી તો આકાશ નીચે પડી જશે. હાલના દિવસોમાં મશરૂમની માફક આવી અરજીઓમાં વધારો થઈ રહ્યો છે. જે પબ્લિસિટી ઈંટરેસ્ટ લિટિગેશન છે.
કોર્ટે કહ્યું કે, અમે આવી રીતની PIL દાખલ કરવાની પ્રથાની ટિકા કરીએ છીએ. આ ન્યાયિક સમયની બરબાદી છે અને તે શરૂઆતથી સમાપ્ત કરવાની જરૂર હતી, જેથી વિકાસ કાર્યમાં બાધા ન પહોંચે. શું ભક્તોને મૂળભૂત સુવિધા આપવાની અને વ્યવસ્થાથી લોકોને વંચિત કરવાના છે ? આ અગાઉ હાઈકોર્ટે નિર્માણ અને ખોદકામ વિરુદ્ધ દાખલ થયેલી અરજીને પણ ફગાવી દીધી હતી.