દેશમાં કોરોના વાયરસ (Coronavirus) પર કાબૂ મેળવવા માટે લગાવાયેલા 21 દિવસોના લૉકડાઉન બાદ પ્રવાસી મજૂરોના પલાયનને લઇને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે ફરી સુનાવણી કરી. આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી ઉઠાવાયેલા પગલાઓની જાણકારી આપવામાં આવી.
મજૂરોના પલાયનને લઇને દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે ફરી સુનાવણી કરી
જેમનામાં પણ વાયરસના લક્ષણ જોવા મળ્યા છે તેમને ક્વૉરન્ટાઇનમાં મોકલી દેવાયા : કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારની તરફથી તુષાર મેહતાએ કહ્યું કે જેમનામાં પણ વાયરસના લક્ષણ જોવા મળ્યા છે તેમને ક્વૉરન્ટાઇનમાં મોકલી દેવાયા છે અને જેમનામાં કોઇ લક્ષણ નથી તેમને 14 દિવસ માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેની સાથે જ ઇન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વિલાન્સ પ્રોગ્રામ ચલાવાયો, જેથી 14 દિવસો માટે કોઇપણ યાત્રાળુની દેખરેખ કરી શકાય. ત્યારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને પાંચ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટના 5 મહત્વપૂર્ણ નિર્દેશ
શેલ્ટર હોમમાં પ્રવાસીઓને ખાવા, પીવા, દવા અને બેડ વગેરેની સુવિધાઓ આપવામાં આવે.
શેલ્ટર હોમમાં કાઉન્સિલર અને વિભિન્ન આસ્થાઓ સાથે જોડાયેલા લોકો મોકલવામાં આવે, જે લોકોને સમજાવે અને તેમનામાંથી ડર દૂર કરે.
શેલ્ટર હોમમાં પોલીસની જગ્યાએ વોલન્ટિયરને તહેનાત કરવા, લોકો પર બળ અને ધમકીનો ઉપયોગ ન થાય.
લોકોમાં જાગરુકતા ફેલાવવા અને તેમને જાણકારી આપવા માટે એક્સપર્ટ પેનલનું ગઠન કરી પોર્ટલ બનાવવામાં આવે.