સુપ્રીમ કોર્ટની અવમાનના કેસમાં દોષી જાહેર થયેલા વકીલ પ્રશાંત ભૂષણને સજા પર આજે સુપ્રીમ કોર્ટે સજાનું એલાન કર્યું છે. સુપ્રીમ કોર્ટે તેમની રજસ્ટ્રીમાં એક રૂપિયાનો દંડ જમા કરવા નિર્દેશ આપ્યો છે. જો તેઓ આ રકમ જમા નહીં કરાવે તો ત્રણ મહીના સુધીની જેલ થઇ શકે છે. આ સાથે ભૂષણની વકીલાત પર ત્રણ વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવામાં આવી શકે છે. જો કે સુપ્રિીમના આ નિર્ણય બાદે પ્રશાંત ભુષણ આજે પત્રકાર પરિષદને સંબોધશે
1 રૂપિયાનો દંડ કર્યો, 15 સપ્ટેમ્બર સુધીનો આપ્યો સમય
જમા નહીં કરાવા પાછળ ત્રણ મહીનાની જેલ
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં કહ્યું કે પ્રશાંત ભૂષણે કોર્ટ પહેલા પોતાનું નિવેદન મીડિયામાં આપ્યું એ ખોટું હતું. કોર્ટના નિર્ણય જનતા વિશ્વાસ અને મીડિયા રિપોર્ટથી ચાલતા નથી. અમે પણ અટોર્ની જનરલની આ દલીલથી સહમત છીએ કે ભૂષણે કોર્ટની અવમાનના કરી છે. અમે પણ ઇચ્છીએ છીએ કે તેઓ માફી માગે, પરંતુ તેમણે ઇન્કાર કરી દીધો છે.
ચૂકાદો સંભાવતા જસ્ટિસ અરુણ મિશ્રાએ પ્રશાંત ભૂષણના વકીલ રાજીવ ધવન તરફી રજૂ કરવામાં આવેલી દલીલને લઇને કહ્યું કે પત્રકાર પરીષદને લઇને ખંડપીઠનો પોતાનો નિષ્કર્ષ નથી. ખરેખર, ધવનનું કહેવું હતું કે જો નિવેદન આપવું ખોટુ હોય તો પછી જ્જોએ કરેલી પત્રકાર પરીષદ પણ ખોટી છે, જ્જ અહીં ધવનની દલીલ વાંચી રહ્યાં હતા.
જો કે આ વચ્ચે રાજીવ ધવને એક રૂપિયાનો સિક્કો પ્રશાંત ભૂષણને દંડ આપવા માટે આપ્યો છે. સુપ્રીમના ચુકાદ પર કમેન્ટ કંઇ આપી નથી. પ્રશાંત ભૂષણે કહ્યું કે તેઓ પ્રેસ ક્લબમાં બતાવીશ.
એક રૂપિયે કી કીંમત તુમ ક્યા જાનો...
સુપ્રિમના ચુકાદા પછી તરત ટ્વિટર પર પ્રશાંત ભૂષણ ટોપ પર ટ્રેન્ડ થવા લાગ્યાં. ભૂષણના સમર્થકોએ જ્યાં સત્યમેવ જયતે હેશટેગની સાથે તેમની જીત બતાવી, તો બીજી તરફ વિરોધી મજાક બનાવી રહ્યાં છે. વાયરલ તસ્વીર પર મજાકિયા અંદાજમાં કેટલાંક લોકોએ કહ્યું કે પ્રશાંત ભૂષણ પોતાની ફી બતાવી રહ્યાં છે. તો બીજી તરફ કેટલાંક લોકોએ કહ્યું કે એક રૂપિયાની વેલ્યુ ત્રણ મહીના જેલ અને ત્રણ વર્ષનું ડિબારમેંટ છે.