સર્વોચ્ચ અદાલતે શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચીપ જસ્ટીસ રહી ચૂકેલા ભારતના પૂર્વ ન્યાયાધીશ રંજન ગોગોઈના આચરણની તપાસ માટે 3 જજની પેનલ વાળી બેચની માંગ કરનારી અરજી પર વિચાર કરવાથી ઈન્કાર કરી દીધો છે. ગોગોઈ વર્તમાન રાજ્યસભાના સાંસદ છે.
સુપ્રીમ કોર્ટે અરજી પર વિચાર કરવાથી ઈન્કાર કરી દીધો છે
ખંડપીઠે અરજદારને પુછ્યુ કે તમે છેલ્લા 2 વર્ષમાં સુનવણી માટે દબાણ કેમ ન કર્યુ?
ગોગોઈ ગત વર્ષ 17 નવેમ્બરે સીજેઆઈના પદેથી નિવૃત્ત થયા છે
ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાની અધ્યક્ષતા વાળી પીઠે પીઆઈએલનો અસંવૈધાનિક ગણાવી અને કહ્યું કે અરજીકર્તા છેલ્લા 2 વર્ષમાં સુનવણી માટે દબાણ નથી કર્યુ. આ ઉપરાંત જજ ગોગોનો કાર્યકાળ સમાપ્ત થઈ ચૂક્યો છે.
Supreme Court dismisses as infructuous, a PIL seeking in-house probe against former CJI Ranjan Gogoi into alleged "commission and omission" by him during his tenure as Supreme Court judge. Court says that he has demitted the office now and nothing remains in this petition. pic.twitter.com/zuzcsmBZAA
જજ બીઆર ગવઈ અને કૃષ્ણ મુરારીની ખંડપીઠે અરજદારને પુછ્યુ કે તમે છેલ્લા 2 વર્ષમાં સુનવણી માટે દબાણ કેમ ન કર્યુ? તેમણે આ અરજી ગેરબંધારણીય ગણાવી છે કેમ કે ગોગોઈનો કાર્યકાળ પહેલા જ પુરો થઈ ગયો છે. પીઠે અરજદાર અરુણ રામચંદ્ર હુબલીકરને કહ્યું તે માફ કરજો અમે આ અરજી પર વિચાર ન કરી શકીએ.
અરજદારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કાર્યકાળ દરમિયાન કથિત કમિશન અને ચૂકને લઈને ગોગોની વિરુધ્ધ તપાસની માંગ કરી હતી. અરજદારો પીઠની સામે દાવો કર્યો છે કે તેણે પાતની અરજીની યાદી માટે સર્વોચ્ચા અદાવતના મહાસચિવ સાથે મુલાકાત કરી હતી. પરંતું તેને સૂચીબદ્ધ કરવામાં આવી નહી. ઉલ્લેખનીય છે કે ગોગોઈ ગત વર્ષ 17 નવેમ્બરે સીજેઆઈના પદેથી નિવૃત્ત થયા છે.