રસ્તા પર રહેતા બાળકોને લઈને વડી અદાલતે સોમવારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશો આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યા આદેશ
બે અઠવાડીયાની અંદર રિપોર્ટ જમા કરાવા કહ્યું
આ કામ તાત્કાલિક લાગૂ કરવા જણાવ્યું
રસ્તા પર રહેતા બાળકોને લઈને વડી અદાલતે સોમવારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશો આપ્યા છે. વડી અદાલતે કહ્યું છે કે, સરકાર રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલી એસઓપીને લાગૂ કરે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને ન્યાયમૂર્તિ બી આર ગવઈની પીઠે આ નિર્દેશ આપ્યા છે. પીઠે કહ્યું કે, રાજ્ય સરકારો દ્વારા આ દિશામાં અત્યાર સુધી ઉઠાવેલા પગલા સંતોષજનક નથી. પીઠે કહ્યું કે, બાળકોને બચાવાનું કામ હંગામી ન હોવું જોઈએ. સાથે જ કોર્ટે કહ્યું કે, એ નક્કી કરવું જોઈએ કે, બાળકોનો પુનર્વાસ કરવામા આવે.
બે અઠવાડીયાની અંદર રિપોર્ટ જમા કરાવવા કહ્યું
તેની સાથે જ પીઠે સુનાવણી કરતા એવું કહ્યું છે કે, આજથી બે અઠવાડીયાના સમયની અંદર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તેના પર એક સ્થિતિ રિપોર્ટ દાખલ કરવામાં આવે. પીઠે આ મામલે આગામી સુનાવણી મેના બીજા અઠવાડીયામાં કરવાનો નિર્દેશ આપ્યો છે.
તમિલનાડૂ અને દિલ્હીએ આ કામ કરી નાખ્યું
સુનાવણી દરમિયાન વડી અદાલતે જણાવ્યું હતું કે, તમિલનાડૂ અને દિલ્હી સરકારે નિસહાય બાળકોને બચાવવા અને તેમના પુનર્વાસ માટે પહેલાથી જ યોજના તૈયાર કરી લીધી છે. તેના પર ન્યાયાલયે તમિલનાડૂ અને દિલ્હી રાજ્યોને એનસીપીસીઆરે તેમની એક કોપી રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેની સાથે જ વડી અદાલતે તમિલનાડૂ અને દિલ્હી જેવા રાજ્યોને આ યોજનાને લાગૂ કરવાના નિર્દેશ આપતા કહ્યું કે, સરકાર નિ:સહાય બાળકોની ઓળખાણ કરીને તેમના પુનર્વાસ માટે તાત્કાલિક પગલા ભરે.
આ નીતિ તાત્કાલિક લાગૂ કરવા જણાવ્યું
આ અગાઉ વડી અદાલતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિ:સહાય બાળકો માટે પુનર્વાસ નીતિ તૈયાર કરવાની ભલામણ લાગૂ કરવાના નિર્દેશ આપ્યા હતા. આ દરમિયાન વડી અદાલતે કહ્યું હતું કે, આ ફક્ત કાગળ પર રહેવુ જોઈએ નહીં.
ત્યારે કોર્ટે કહ્યુ હતું કે, અત્યાર સુધી ફક્ત 17,914 સ્ટ્રીટ ચિલ્ડ્રન વિશે જાણકારી આપવાનું કહેવાયુ હતું. જ્યારે તેમની અનુમાનિત સંખ્યા 15-20 લાખ છે. વડી અદાલતે કહ્યું હતું કે, સંબંધિત અધિકારીઓ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના વેબ પોર્ટલ પર જરૂરી સામગ્રીની અપડેટ કરવાની રહેશે.