સુપ્રીમ કોર્ટે શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને બેંકોમાં લોકર ફેસિલીટી મેનેજમન્ટને લઈને 6 મહિનાની અંદર રેગ્યુલેશન્સ બનાવવા કહ્યું છે.
કોલકત્તાના અમિતાભ દાસગુપ્તાની અપીલ પર આવ્યો આ નિર્ણય
બેંકો આ મામલામાં મોંઢું ન ફેરવી શકે.- સુપ્રીમ કોર્ટ
6 મહિનાની અંદર રેગુલેશંસ બનાવવાના નિર્દેશ
બેંકો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી લોકરની સેવાઓ બંધ કરવામાં આવી છે
જસ્ટિસ એમએમ શાંતનગૌડર અને જસ્ટિસ વિનીત સરનની બેંચે કહ્યું કે વૈશ્વિકરણની સાથે સામાન્ય લોકોની જીંદગીમાં બેંકિંગ સંસ્થાનોની ભૂમિકા મહત્વપૂર્ણ થઈ ચૂકી છે. મુખ્ય અદાલતે કહ્યું કે લોકોના ઘરો પર રોકડ, ઘરેણા વગેરે રાખવામાં અચકાઈ રહ્યા છે. કેમ કે ધીરે ધીરે કેશલેશ ઈકોનોમી તરફ વધી રહ્યા છે. એટલા માટે બેંકો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી લોકરની સેવાઓ બંધ કરવામાં આવી છે. આ પ્રકારની સેવાઓ નાગરિકોની સાથે વિદેશી નાગરિકો પણ લઈ શકે છે. જો કે ઈલેક્ટ્રોનિક રુપથી પરિચાલિત લોકર ઓપરેશન છે. પરંતુ આમાં ગડબડી કરનારા પર પ્રતિબંધ લગાવી શકાય છે. સાથે લોકો ટેક્નિકલ રુપની જાણકારી નથી તો તેમના માટે આવા લોકરનું ઓપરેશન પણ આકરુ રહેશે.
SCના જણાવ્યાનુંસાર ગ્રાહકો સંપૂર્ણ બેંકો પર નિર્ભર છે
બેન્ચે કહ્યું કે ગ્રાહકો પૂરી રીતે બેંક પર નિર્ભર છે. જે સંપત્તિના સંરક્ષણ માટે મોટી સક્ષમ પાર્ટી છે. આવી સ્થિતિમાં બેંકો આ મામલામાં મોંઢું ન ફેરવી શકે. એ દાવો ન કરી શકે કે લોકર સંચાલન માટે તેમની પોતાના ગ્રાહકો પ્રત્યે કોઈ જવાબદારી નથી. બેંકોના આ પ્રકારના પગલા ન ફક્ત ગ્રાહકો સંરક્ષણ કાયદાના સંબંધિત જોગવાઈનો ભંગ છે. બલ્કે રોકાણકારોના ભરોસા અને તેની ઉભરતી ઈકોનોમીના રુપમાં આપણી શાખાને નુકસાન પહોંચાડે છે.
6 મહિનાની અંદર રેગુલેશંસ બનાવવાના નિર્દેશ
કોર્ટે કહ્યું કે એ જરૂરી છે કે આરબીઆઈ એક વ્યાપક ડાયરેક્શન લાવે. જેમાં આ અનિવાર્ય છે કે લોકરના સંદર્ભમાં બેંકોએ શું પગલા ભરવાના છે. બેંકોને આ સ્વતંત્રતા ન હોવી જોઈએ કે તે ગ્રાહતોના એકતરફી અને અયોગ્ય શરતોને થોપે. આને ધ્યાનમાં રાખીને આરબીઆઈના આ આદેશને 6 મહિનામાં આ સંદર્ભમાં ઉપયુક્ત રેગ્યુલેશન બનાવવાના નિર્દેશ આપે છે.
કોલકત્તાના અમિતાભ દાસગુપ્તાની અપીલ પર આવ્યો આ નિર્ણય
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કલકત્તાના અમિતાભ દાસગુપ્તાની અપીલ પર આવ્યો છે. દાસગુપ્તાએ National Consumer Disputes Redressal Commissionના આદેશની વિરુદ્ધ અપીલ કરી હતી. તેમણે જિલ્લા કન્ઝ્યૂમર ફોરમની સમક્ષ આવેદન આપીને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને લોકરમાં રાખેલા 7 આભૂષણો પાછા આપવા તથા તેના ખર્ચ અને નુકસાનની એવરેજમાં ક્ષતિપુર્ણ રુપે 3 લાખ રુપિયાન ચૂકવણી કરવાનો નિર્દેશ આપવાનો આગ્રહ કર્યો હતો. National Consumer Disputes Redressal Commissionએ રાજ્ય આયોગના આ આદેસને સ્વીકાર કરી લોકરમાં રાખેલા સામાનની વસૂલીના સંદર્ભમાં ઉપભોક્તા મંચના અધિકાર ક્ષેત્ર સીમિત છે.