આમ તો કેન્દ્ર સરકાર 'વન નેશન, વન રાશન કાર્ડ' યોજના પર ઝડપથી કામ કરી રહી છે. 1 જૂનથી દેશમાં આ યોજના લાગુ કરવાની વિચારણા છે. હાલમાં દેશના 12 રાજ્યમાં આ યોજનાની શરૂઆત 1 જાન્યુઆરી 2020થી થઇ ગઇ છે.
કોરના સંકટની વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 'વન નેશન, વન રાશન કાર્ડ' યોજના પર ઝડપથી અમલ કરવાને લઇને વિચાર કરવા અંગે જણાવ્યું છે. કોર્ટે જણાવ્યું કે આ યોજનાથી ગરીબ અને પરપ્રાંતીય મજદૂરોને તત્કાલ મદદ મળી શકશે. કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે 'વન નેશન વન રાશન કાર્ડ' યોજના (ONORC) ને તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવાની કેટલી શક્યતા છે?
શું છે વન નેશન, વન રાશનકાર્ડ યોજના
'વન નેશન, વન રાશનકાર્ડ' કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના છે, જેના હેઠળ દેશમાં પીડીએસના લાભાર્થીઓને કોઇપણ સાર્વજનિક વિતરણ સિસ્ટમ હેઠળની રાશનની દુકાનમાંથી રાશન મળશે. એટલે કે કોઇપણ રાજ્યના રાશન કાર્ડ ધારક બીજા કોઇપણ રા્જયમાં કાર્ડ બતાવી રાશન લઇ શકશે.
વન નેશન, વન રાશન કાર્ડના ફાયદા
આ યોજના લાગુ થઇ ગયા બાદ દેશમાં એક જ પ્રકારના રાશનકાર્ડ થઇ જશે. લાભાર્થીઓમાં કોઇપણ ઇ-પીઓએ ઉપરકરણ બૉયોમેટ્રિક પ્રમાણ કર્યા બાદ પોતાના હાલના રાશનકાર્ડથી રાશન લઇ શકશે. લાભાર્થીઓને અંગૂઠો લગાવવો ફરજિયાત રહેશે, આ પ્રમાણ હશે. બૉયોમેટ્રિક ઉપયોગના આધારનો ઉપયોગ એટલે કે આધારથી લાભાર્થિઓની ઓળખ થશે.
રાશન કાર્ડ 10 ડિજિટનું હશે
કેન્દ્ર સરકાર રાજ્યોને 10 આંકડાઓનું રાશન કાર્ડ જારી કરશે. આ નંબરમાં બે અંક રાજ્યનો કોડ હશે અને પછીના બે આંકડા રાશનકાર્ડ નંબર હશે. એ સિવાય રાશન કાર્ડ નંબરની સાથે એક અને બે આંકડાઓનો સેટ જોડવામાં આવશે. દેશભરમાં આ લાગુ કરવા માટે રાશન કાર્ડની પોર્ટેબિલિટીની સુવિધા શરૂ કરવામાં આવશે.
આ યોજના 1 જાન્યુઆરી 2020થી દેશના 12 રાજ્યમાં ચાલુ છે. આ રાજ્ય આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરા છે.
જૂના રાશનકાર્ડનું શું થશે ?
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 'વન નેશન, વન રાશન' કાર્ડ યોજના લાગુ થવા પર જુનું રાશન કાર્ડ પણ ચાલુ રહેશે. તેને નવા નિયમના આધાર પર અપડેટ કરી દેવામાં આવશે, જેને લઇને તે દેશભરમાં માન્ય ગણાશે.
બનાવટી રાશકાર્ડ પર રોક લાગશે
આ યોજનાથી સરકારને આશા છે કે ભ્રષ્ટાચાર પર રોક લાગશે અને બનાવટી રાશનકાર્ડ બની શકશે નહીં.