નોટબંધીના 6 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે આ મામલો જોરજોરથી ઉપાડ્યો છે અને અઠવાડિયામાં બીજી વાર નોટબંધીના નિર્ણયવાળી ફાઈલો જોવા મંગાવી છે.
સુપ્રીમે જોરજોરથી ઉપાડ્યો નોટબંધીનો મામલો
સુપ્રીમે નોટબંધીના નિર્ણયવાળી ફાઈલો ફરી મંગાવી
સરકાર અને આરબીઆઈને કર્યો ઓર્ડર
કોર્ટ હાથ જોડીને બેસી નહીં રહે-સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ 8 નવેમ્બર, 2016ના રોજ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર સુનાવણી શરુ કરીને અઠવાડિયામાં બીજી વાર સરકાર અને આરબીઆઈ પાસેથી નોટબંધીના નિર્ણયવાળી ફાઈલો મંગાવી છે.
કેન્દ્ર સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીનો નિર્ણય લીધો હતો. નોટબંધીના છ વર્ષ બાદ હવે 2022ની સાલમાં સુપ્રીમ કોર્ટે નોટબંધીની ઘણી અરજીઓ પર સુનાવણી શરુ કરીને સરકાર અને આરબીઆઈને અસહજ સ્થિતિમાં મૂકી છે.
SC directs Centre, RBI to put on record relevant records relating to government's 2016 decision on demonetisation
આરબીઆઈએ કહ્યું, સરકારની આર્થિક નીતિઓથી કોર્ટ દૂર રહે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 2016 માં કેન્દ્ર સરકારનો નોટબંધીનો નિર્ણય "વિચારહીન" પ્રક્રિયા નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ સોમવારે નોટબંધીના પગલાનો વિરોધ કરતી સુપ્રીમ કોર્ટમાં 58 અરજીઓનો વિરોધ કરતા કહ્યું કે આ રાતોરાત લેવાયેલો નિર્ણય છે. આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે અદાલતે તેની તપાસ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે આર્થિક નીતિનો નિર્ણય છે. આરબીઆઈ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે સરકારે અપનાવેલી આર્થિક નીતિમાં હસ્તક્ષેપ કરવાથી કોર્ટે દૂર રહેવું જોઈએ.
અમે હાથ જોડીને બેસી નહીં રહીએ- સુપ્રીમ કોર્ટ
જસ્ટીસ એસ અબ્દુલ નઝીર, બી આર ગવાઈ, એ એસ બોપન્ના, વી રામાસુબ્રમણ્યમ અને બી વી નાગરથનાની બનેલી પાંચ જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે નોટબંધીના મામલે કોર્ટનું અધિકારક્ષેત્ર સીમિત છે પરંતુ કોર્ટ ચુપચાપ હાથ જોડીને બેસી નહીં રહે.
SC reserves verdict on batch of pleas challenging Centre's 2016 decision on demonetisation
અરજદારોના વકીલે કહ્યું કે રદ કરવો જોઈએ નોટબંધીનો નિર્ણય
બીજી તરફ અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને વરિષ્ઠ વકીલ પી ચિદમ્બરમે કેન્દ્ર અને આરબીઆઈની દલીલોનું ખંડન કરતા કહ્યુ કે કોર્ટે આર્થિક નીતિ અને મૌદ્રિક નીતિ જેવા ભારે શબ્દોથી ડરવુ ન જોઈએ. તેમણે કહ્યું કે નોટબંધી નાણાકીય નીતિનો ભાગ નથી. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે નિર્ણય લેવાની પ્રક્રિયાની માન્યતા નક્કી કરવામાં આવે અને જો મનસ્વી જણાય તો તેને રદ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કાયદાનું ઉલ્લંઘન કરીને આવી કવાયત હાથ ધરવામાં ન આવે.