અમદાવાદઃ કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અમદાવાદની મુલાકાત કરી હતી. રાફેલ ડીલ વિવાદ મુદ્દે ગજેન્દ્રસિંહ શેખાવતે નિવેદન કર્યુ હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણયને અમે સ્વીકારીએ છીએ. રાફેલ ડીલ દેશ હિતમાં થઇ હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોંગ્રેસ ખોટો ગણાવી રહી છે. સુરક્ષાના મુદ્દાને ખોટી રીતે લોકો સામે ઉછાળવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ જે તથ્યો થકી આક્ષેપો કર્યાએ તથ્યો અંગે જાહેરાત કરવી જોઈએ. કોંગ્રેસ પાસે કોઈપણ પ્રકારના તથ્યો હતા તો તેમણે કોર્ટમાં પક્ષકાર તરીકે જવાની જરૂર હતી.
તેમણે કહ્યું કે રાજકીય મહત્વકાંક્ષાઓને કારણે બદનામ કરવાનું ષડયંત્ર છે. ખોટુ બોલીને કોંગ્રેસ રાજનૈતિક ફાયદો મેળવવા માગે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને અમે સ્વીકારીએ છીએ. રાફેલ ડીલ દેશ હિતમાં થઇ હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોંગ્રેસ ખોટો ગણાવી રહી છે. સુરક્ષાના મુદ્દાને ખોટી રીતે લોકો સામે ઉછાળવામાં આવ્યો છે.
વધુમાં રાહુલ પર પ્રહાર કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાહુલે રાજીનામું આપવું જોઇતુ હતું. રાહુલ ગાંધીએ જુઠ્ઠાણા બેલાવવા બદલ દેશની માફી માગવી જોઇએ. રાહુલ ગાંધીએ જે તથ્યો થકી આક્ષેપો કર્યા એ તથ્યો અંગે જાહેરાત કરવી જોઈએ. બધા ચોર ભેગા થઇને ચોકીદારને ચોર કહેવાનું દુઃસાહસ કર્યું છે. કોંગ્રેસ પાસે કોઈપણ પ્રકારના તથ્યો હતા તો તેમણે કોર્ટમાં પક્ષકાર તરીકે જવાની જરૂર હતી.
વધુમાં તેમણે કહ્યું કે ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. 2014 બાદનું પરિવર્તન સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે. હાલની સરકાર આઝાદી બાદની સૌથી ઇમાનદાર સરકાર છે. એક લાખ કરોડ રૂપિયા સહાય રૂપે ગરીબો સુધી પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો કોઇ દાગ નથી.