પયંગબર વિવાદ મામલે પોતાની સામે અલગ અલગ ઠેકાણે નોંધાયેલા સંખ્યાબંધ કેસોને એક ઠેકાણે ટ્રાન્ફરની નુપૂર શર્માની અરજી પર સુપ્રીમમાં સુનાવણી ચાલી.
દેશમાં ખૂબ ચગેલો મોહમ્મદ પયંગબર વિવાદ મામલો
ભાજપમાંથી બરખાસ્ત નેતા નુપૂર શર્માને મોટી રાહત
સુપ્રીમ કોર્ટે નુપૂર સામે નોંધાયેલા તમામ કેસ દિલ્હી ટ્રાન્સફરનો આપ્યો આદેશ
ઈસ્લામના સ્થાપક મોહમ્મદ પયંગબર પર વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ દેશમાં અલગ અલગ સ્થળે નોંધાયેલી ઘણી ફરિયાદને એક ઠેકાણે ટ્રાન્સફર કરવાની ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેમને એક મોટી રાહત આપી છે.
SC clubs & transfers all FIRs against Nupur Sharma over alleged hate statement on Prophet Mohammad, to Delhi
સુપ્રીમની ખંડપીઠે નુપૂર શર્મા સામે દેશમાં ક્યાંય પણ નોંધાયેલા કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો અન્ય કોઈ રાજ્યની પોલીસ જ્યાં એફઆઈઆર નોંધવામાં આવી છે, તો તેઓ તપાસ દરમિયાન પોતાનું સૂચન આપી શકે છે.
નુપૂર શર્મા નોંધાયેલા બધા કેસની તપાસ હવે દિલ્હી પોલીસ કરશે
તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર થયા હોવાથી હવે નૂપૂર શર્મા સામે નોંધાયેલા બધા કેસની તપાસ દિલ્હી પોલીસ કરશે.
નુપૂર શર્માની ધરપકડ પર સ્ટે યથાવત રાખ્યો સુપ્રીમ કોર્ટે
કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે જ્યાં સુધી આ કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી નુપૂર શર્માની ધરપકડ પર જે સ્ટે મૂકાયો હતો તે ચાલુ રહેશે.
Further, all the clubbed FIRs against Nupur Sharma have been transferred to Delhi Police for investigation.
એફઆઈઆર રદ કરવા નુપૂર દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક સાધે
સુપ્રીમ કોર્ટે નુપૂર શર્માને એવું પણ જણાવ્યું છે કે તેમણે તેમની સામે નોંધાયેલી તમામ એફઆઈઆર રદ કરાવવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક સાધવો જોઈએ.
તમામ કેસ એક જગ્યાએ ટ્રાન્સફર કરવાની નુપૂરના વકીલે કરી હતી માગ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કેસની યોગ્યતા પર નથી જઈ રહ્યા. ઝુબૈર કેસમાં ત્રણ સભ્યોની બેન્ચે આ આદેશ આપ્યો છે. નૂપુરના વકીલ મનિન્દર સિંહે કહ્યું, "અમે ઝુબૈર કેસમાં આપવામાં આવેલા એ જ આદેશની માંગ કરી રહ્યા છીએ કે તમામ કેસ એક જ જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે. નૂપુરના વકીલે કહ્યું કે તમામ કેસોને એક સાથે જોડીને દિલ્હી ટ્રાન્સફર કરવા જોઈએ કારણ કે દિલ્હીમાં પહેલી એફઆઈઆર નોંધવામાં આવી હતી.
શું હતો પયગંબર વિવાદ
ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માએ એક ટીવી ડિબેટમાં ઈસ્લામના સ્થાપક મોહમ્મદ પયગંબર સામે અપમાનજનક ટીપ્પણી કરી હતી જેના વિરોધમાં સમગ્ર દેશભરમાં ભારે દેખાવ થયા હતા અને શર્મા સામે દેશમાં ઘણે ઠેકાણે કેસ દાખલ કરાયા હતા. અલગ અલગ કેસોને એક ઠેકાણે ટ્રાન્સફર કરવાની નુપૂરે સુપ્રીમમાં અરજી કરી હતી જેને કોર્ટે સ્વીકારી લીધી હતી.